SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કુળ, ધન, રૂપ, જ્ઞાન ઇત્યાદિનો મદ માણસ કરે છે, પણ ક્યારેક તે ન હોવા માટે માણસ અભિમાન કરે છે. નિર્ધનને ધનવાનની, કદરૂપાને રૂપવાનની કે અજ્ઞાનીને જ્ઞાનીની ઈર્ષ્યા થાય એ એક વાત છે, પણ માણસ પોતાના અજ્ઞાન માટે પણ અભિમાનપૂર્વક વાત કરે અને ભણેલા ભીખ માંગે છે એવાં વાક્યો ઉચ્ચારે અથવા કોઈ નિર્ધન માણસ પોતાની નિર્ધનતા માટે ગૌરવ લે અને પૈસાને કૂતરાં પણ સૂંઘતાં નથી એવાં એવાં વાક્યો બોલે એવું પણ બનતું જોવા મળે છે. એમાં બેપરવાઈનો ભાવ પણ હોય છે. વસ્તુતઃ ધન વગેરે હોય તો એના હોવાપણાનો અને ન હોય એના ન હોવાનો ગર્વ માણસે ન રાખવો જોઈએ. માણસને ઉચ્ચ કુળ, ધન, રૂપ, જ્ઞાન, ઐશ્વર્યાદિ મળે છે પૂર્વના શુભકર્મના ઉદયથી, એટલે કે પુણ્યોદયથી એ પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી એ જ કુળ, જાતિ વગેરે અશુભ ઘાતકર્મનાં નિમિત્ત ન બને એની સાવધાની જીવે રાખવાની રહે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે ધન કે માન મેળવવાં એટલાં અઘરાં નથી, પણ મળ્યા પછી એને પચાવવાં ઘણાં જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓ ક્રોધ વગેરે ઉપર વિજય મેળવે છે. ધન, સ્ત્રી, પુત્રપરિવાર, ઘર ઇત્યાદિનો ત્યાગ એમણે કર્યો હોય છે, પણ એમના ચિત્તમાં લોકેષણા ચોટેલી રહે છે. પોતે, પોતાનો સમુદાય, પોતાનાં ધર્મકાર્યો બીજા કરતાં ચડિયાતાં રહે તો ગમે, ચડિયાતાં બને એ માટે સરખામણી એમના દિલમાં થતી રહે અને બીજા પાછળ પડી જાય તો અંદરથી રાજી થવાય આવી વૃત્તિ તેઓને રહે છે. વ્યવહારથી કેટલુંક કદાચ ઈષ્ટ ગણાતું હોવા છતાં અધ્યાત્મમાર્ગમાં તેવો સૂક્ષ્મ માનકષાય બાધક નીવડે છે. જીવ ગમે તેટલો શ્રદ્ધાભક્તિવાળો હોય તો પણ અધ્યાત્મમાર્ગથી એને પાછો પાડનાર, સંસારમાં રખડાવનાર કોઈ હોય તો તે આ મુખ્ય माणं मद्दवया जिणे । Jain Education International L[ ૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy