SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ માનભાઈએ તરત જ હળવેથી એ ટપાલ પાછી માગી લીધી અને પોતે જઈને ટપાલના ડબ્બામાં નાખી આવ્યા. માનભાઈ સ્વમાની, ક્યારેક આખાબોલા અને કોઈની શેહમાં ન તણાય એવા હતા. એક વખત સ્વામી શિવાનંદ અધ્વર્યુ ભાવનગર આવેલા અને એમને લઈને ભાવનગરના મહારાજાને મહેલમાં મળવા જવાનું હતું. તેઓ બંને ત્યાં પહોંચી ગયા. તેમને સ્વાગતખંડમાં બેસાડવામાં આવ્યા. થોડીવારે મહારાજા સિગારેટ પીતા પીતા આવ્યા. માનભાઈએ કડક અવાજે મહારાજાને ઠપકો આપતાં કહ્યું, “આવા સંત મળવા આવે છે અને તમને સિગારેટ પીતાં પીતાં આવો છો તેની શરમ નથી આવતી ?' તરત મહારાજાએ સિગારેટ નાખી દીધી. તેમણે માનભાઈને સામો જવાબ ન આપ્યો કે ન અણગમો બતાવ્યો. પછીથી તો જાણે કશું જ બન્યું નથી એવી સહજ રીતે ત્રણેએ વાતો કરી. પાછા ફરતાં ડૉ. શિવાનંદ અધ્વર્યુએ વાત કાઢી ત્યારે માનભાઈએ કહ્યું, “સાચી વાત કહેવામાં શરમ શી? મારે ક્યાં એમની પાસે કશું માંગવું છે. મેં તો રાજની આબરૂ બચાવવા કહ્યું હતું.' ૯૪મા વર્ષે માનભાઈને લાગ્યું હતું કે હવે પોતે વધુ વખત જીવવાના નથી. અંતિમ દિવસ પાસે આવી રહ્યો છે એટલે એ માટે પોતે સ્વસ્થ મનથી પૂરેપૂરા તૈયાર અને સજ્જ હતા. પોતે અનંતની યાત્રાએ જઈ રહ્યા છે, એટલે પ્રભુરૂપી પ્રિયતમને પોતે પ્રિયતમા સ્વરૂપે મળવા જઈ રહ્યા છે એવા ભાવવાળી કબીરના પદની પંક્તિઓ પોતે ગણગણતા. વળી એ પંક્તિઓ લખીને પોતાની અંતિમ ક્રિયા માટે સ્વજનોને સૂચના આપી દીધી હતી. એ સૂચના સંક્ષેપમાં નીચે મુજબ હતી : ૨૬ ] Jain Education International સાંપ્રત સહચિંતન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy