SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષો પહેલાં, સ્વતંત્રતા પૂર્વે એક વખત માનભાઈ ભાવનગરમાં એક રસ્તા ઉપર સાઇકલ પર જઈ રહ્યા હતા. એ દિવસોમાં ગૃહિણીઓને એંઠવાડ રસ્તા પર નાખવાની ટેવ. દેશી રાજ્ય તકેદારી રાખે, પણ પરિણામ સંતોષકારક ન આવે. લોકમાનસ પણ એવી પરિસ્થિતિથી ટેવાયેલું. સ્વચ્છતા માટેની સભાનતા ખાસ નહોતી. એક ગૃહિણીએ મેડા પરના પોતાના રસોડામાંથી બહાર રસ્તા પર એંઠવાડ ફેંક્યો. બરાબર તે માનભાઈ ઉપર પડ્યો. માનભાઈ સાઇકલ નીચે મૂકી એ બહેનને ત્યાં ગયા અને હીંચકા પર બેસી ગયા. કહ્યું મને કપડાં બદલવા એક ધોતિયું આપો એટલે મારાં કપડાં હું ધોઈ નાખું અને સુકાય એટલે પહેરીને ચાલ્યો જઈશ. હું તમને કશું કહેતો નથી. મારે તો કપડાં ધોવાની સગવડ જોઈએ છે. એટલામાં માણસો ભેગાં થઈ ગયાં. માનભાઈએ હઠ પકડી હતી, પણ પછી એ બહેને અને બીજાંઓએ માફી માગીને વચન આપ્યું કે રસ્તા પર પોતે એંઠવાડ નહિ ફેંકે ત્યારે માનભાઈ ઘરે ગયા હતા. એક વખત શિશુવિહારનો ઝાડુ કાઢવાવાળો બરાબર કામ કરતો નહિ એટલે માનભાઈએ એને છૂટો કર્યો. પછી પેલો બીજા કોઈને આવવા દેતો નહિ એટલે માનભાઈએ જાતે ક્રીડાંગણમાં ઝાડુ કાઢવા માંડ્યું. દરમિયાન એક ભાઈ માનભાઈને મળવા આવ્યા. તેઓ એમને ઓળખી શક્યા નહિ. પછી જ્યારે ખબર પડી કે વાસીદું વાળનાર તે પોતે જ માનભાઈ છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માનભાઈને કામ તરત કરવું ગમે. કોઈને સોંપે તો તે પણ તરત થાય એમ ઇચ્છે. એક વખત એક ભાઈ એમના કાર્યાલયમાં બેઠા . હતા. માનભાઈએ એમને કહ્યું, ‘આટલું જરા કામ કરો ને. આ અર્જન્ટ ટપાલ પોસ્ટના ડબ્બામાં નાખી આવો ને.' પેલા ભાઈએ ટપાલ લઈને પોતાના થેલામાં મૂકી અને કહ્યું, ‘જતી વખતે નાખતો જઈશ.' , સ્વ. માનભાઈ ભટ્ટ Jain Education International For Private & Personal Use Only [ ૨૫ www.jathelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy