SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બાપાનો પ્રભાવ માનભાઈ ઉપર ઘણો પડ્યો હતો અને ઠક્કર બાપાએ શિશુવિહારને પોતાની બચતમાંથી સારી આર્થિક સહાય કરેલી. દેશને સ્વતંત્રતા મળ્યા પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર સરકાર થઈ અને ઢેબરભાઈ એના મુખ્ય પ્રધાન થયા ત્યારે માનભાઈને સરકારમાં મજૂર ખાતાના પ્રધાન થવા માટે ઑફર થઈ હતી. પરંતુ રાજકારણમાં માનભાઈને ફાવે નહિ. એમનો સ્વભાવ સત્યપ્રિય, ન્યાયપ્રિય વળી મનસ્વી. એમને એમની રીતે જ કામ કરવાનું ફાવે. તેઓ જરા પણ ખોટું સહન કરી શકે નહિ. એટલે એમણે એ પ્રધાનપદ સ્વીકાર્યું નહિ. એમણે રાજકારણમાં પ્રવેશ કર્યો નહિ, એટલું જ નહિ ત્યાર પછી કેટલેક વખતે ખટપટવાળું મલિન રાજકારણ જોઈને તો એમણે પોતાના ઘરની બહાર બૉર્ડ મૂક્યું હતું : “રાજકારણીઓને પ્રવેશ નથી.” આવું જાહેર બૉર્ડ તો સમગ્ર ભારતમાં માત્ર માનભાઈના ઘરે જ ઘણા વખત સુધી રહ્યું હતું. શિશુવિહારમાં માનભાઈએ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય-ઘડતર માટે રાત્રિ શિબિરોનું આયોજન કર્યું. ત્યાર પછી શ્રમ મંદિર, ટેકનિકલ વર્ગો, વ્યાયામશાળા, સ્કાઉટ અને ગાઇડ, પુસ્તકાલય, વાચનાલાય, બાળમંદિર, વિનય મંદિર, મહિલા મંડળ, ચિત્રકળા અને સંગીતના વર્ગો, અભિનયકળાના વર્ગો, “શિશુવિહાર' ઇત્યાદિ પત્રિકાઓનું પ્રકાશન, પુસ્તિકાઓનું પ્રકાશન, કવિઓની બુધ સભા, રાઈફલ કલબ, રમકડાં ઘર, અતિથિગૃહ, હૃષીકેશની ડિવાઇન લાઇફ સોસાયટી– “દિવ્ય જીવન સંઘ'ની પ્રવૃત્તિઓનો આરંભ કરી એનું સંચાલન કર્યું. બ્લડ બૅન્ક, દાઝેલા લોકો માટેનો અલાયદો “બર્સ વૉર્ડ, ચક્ષુદાન, દેહદાન, શબવાહિની વગેરે બીજી પણ વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરાવી અને અન્ય સંસ્થાઓને તે સોંપી દીધી હતી. શિશુવિહારના ઉપક્રમે આટલી બધી પ્રવૃત્તિઓ ચાલે. એમાં સ્વ. માનભાઈ ભટ્ટ . ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy