SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે દિવસે સવારે કંપનીના માણસો કામ કરવા આવ્યા ત્યારે જાણે કાંઈ જ બન્યું નથી એવો દેખાવ રાખ્યો. જે મજૂરોએ થાંભલો લગાવ્યો હતો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે થાંભલો રાતોરાત કેવી રીતે ખસી ગયો, પણ કશું બોલી ન શક્યા. પચાસેક વર્ષ પહેલાં, ૧૯૫૩માં માનભાઈનાં એક પરિચિત બહેનનો જીવ બચાવવા માટે દાક્તરે લોહી ચડાવવા માટે કહ્યું. પણ લોહી લાવવું ક્યાંથી? ઘણાં બધાંનાં લોહી તપાસાયાં. એમાં છેવટે એક ભાઈનું લોહીનું ગ્રૂપ મળતું આવ્યું અને એ બહેનનો જીવ બચ્યો. તરત માનભાઈને વિચાર આવ્યો કે ભાવનગરમાં એક બ્લડ બેન્ક થવી જોઈએ. પોતે જ એ પ્રવૃત્તિ ઉપાડી. શેરીએ શેરીએ એ માટે ભૂંગળામાં બોલીને પ્રચાર કર્યો. શિશુવિહારમાં જ રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ કરી. પત્રિકાઓ છાપી પ્રચાર કર્યો. રક્તદાન આપનારને “યુવાનીમાં રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન' જેવાં સુવાક્યો લખેલી પેન્સિલો, ડાયરીઓ ભેટ અપાવી. માનભાઈ આવી પ્રવૃત્તિઓની શરૂઆત પોતાનાથી જ કરતા. એમણે પોતે ૩૭ વાર રક્તદાન કર્યું હતું. એમણે રક્તદાનની બ્લડબેન્કની આ પ્રવૃત્તિ ઘણી વિકસાવી હતી અને પછી બીજી સંસ્થાને સોંપી દીધી હતી. એમણે બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓનો આરંભ કરી પછી તે અન્ય સક્ષમ સંસ્થાને સોંપી દીધી હતી. તેઓ કહેતા કે દીકરી મોટી થાય પછી સાસરે જ શોભે. અમૃતલાલ ઠક્કર કે જેઓ ‘ઠક્કર બાપાના નામથી જાણીતા હતા તેઓ મૂળ ભાવનગરના વતની હતા અને તેમણે પંચમહાલના આદિવાસીઓ માટે ઘણું મોટું સેવાકાર્ય કર્યું હતું. નિવૃત્ત થઈ તેઓ વૃદ્ધાવસ્થાનાં છેલ્લાં વર્ષોમાં ભાવનગર રહેવા આવ્યા હતા ત્યારે માનભાઈ એમને રોજ મળવા જતા, એમની સંભાળ રાખતા અને એમની દોરવણી પ્રમાણે ભાવનગરમાં લોકસેવાનું કાર્ય કરતા. ઠક્કર ૨૨ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy