SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ માનભાઈએ કિશોરાવસ્થામાં જ પોતાના પિતા પણ ગુમાવ્યા. હવે કપરા દિવસો આવ્યા. આજીવિકા રળવા માટે ફાંફાં માર્યા. ઘણા અનુભવો થયા. છેવટે સોળ વર્ષની વયે ભાવનગરના બંદરમાં વિલાયતી કોલસાના ટુકડા કરવાની મજૂરી સ્વીકારી. ત્યાં પોતાનાં કામ અને નિષ્ઠાથી પ્રભાવિત થયેલા અંગ્રેજ અમલદાર જૉનસન સાહેબની મહેરબાનીથી માનભાઈને ‘ફોરમેન’ની પાયરી સુધી બઢતી મળી હતી. અહીં ગોદી કામદારોની વચ્ચે કામ કરતાં કરતાં સૌનો પ્રેમ જીતી, તેમના નેતા બની માનભાઈએ ત્યાં ‘આનંદ મંગળ મંડળ'ની સ્થાપના કરેલી અને એના ઉપક્રમે કામદારોના ઉત્કર્ષ માટે ભાતભાતની પ્રવૃત્તિઓ આદરી હતી. એમાં ખાટામીઠા કે કડવા ઘણા અનુભવો એમને થયા હતા. કેટલાંયે સાહસિક કામો એમણે હિંમત અને સૂઝથી કર્યાં હતાં. માનભાઈનું કૌટુંબિક જીવન ભાતીગળ હતું. બાળલગ્નના એ જમાનામાં એમનાં લગ્ન બાળવયે થયાં હતાં. પત્ની મોટી થતાં ઘરે રહેવા આવી, પણ થોડા વખતમાં એનું અવસાન થયું. ત્યાર પછી દાદાના આગ્રહથી, દાદાએ પસંદ કરેલી કન્યા સાથે માનભાઈનાં બીજાં લગ્ન થયાં. એમનાં આ બીજાં પત્નીનું નામ હીરાબહેન. માનભાઈ ગોદીમાં મજૂરી કરે અને ફાજલ સમયમાં જાહેર પ્રવૃત્તિઓ કરે. એમના ટૂંકા પગારમાં હીરાબહેને ઘર સારી રીતે સંભાળી લીધું. બધાં સંતાનોને સારી રીતે ઉછેર્યાં. દામ્પત્યજીવનની શરૂઆતના દિવસોમાં તો કુટુંબનું ભરણપોષણ પૂરું કરવા માટે હીરાબહેન પરચૂરણ કામો કરતાં, હાથે બનાવેલી વસ્તુઓ વેચતાં. માનભાઈ અને હીરાબહેન બંનેની પ્રકૃતિ નિરાળી, વિચારો નિરાળા, છતાં બંનેનું દામ્પત્યજીવન સહકારભર્યું પ્રસન્ન હતું. એમનાં સંતાનોએ બાલ્યકાળમાં કઠિન દિવસો જોયેલા, પણ પછી ઘણી સારી પ્રગતિ કરી હતી. એમનાં એક દીકરી ચિદાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ સંન્યાસિની બન્યાં છે. સ્વ. માનભાઈ ભટ્ટ Jain Education International For Private & Personal Use Only [ ૧૭ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy