SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈકલ ઉપર નીકળી પડતા હતા. રોજના દસબાર કિલોમીટર ફરવાનું થાય. એક કાળે સૌથી વધુ સાઈકલ ધરાવનારાં શહેરોમાં પૂના, અમદાવાદની જેમ ભાવનગરની ગણના થતી. તેમાં પણ ભાવનગરમાં વસ્તીના પ્રમાણમાં સાઈકલની સરેરાશ વધારે. સાઈકલ એટલે અલ્પતમ નિભાવખર્ચવાળું બધાંને પોસાય એવું વાહન. દુનિયામાં સૌથી વધુ સાઈકલો ચીનમાં છે.) માનભાઈએ કિશોરાવસ્થાથી સાઈકલ પર જવાઆવવાનું ચાલુ કરેલું તે ૮૮ વર્ષની વૃદ્ધાવસ્થા સુધી ચલાવ્યું. એક વખત, ભાવનગરના શ્રી મહેન્દ્ર મેઘાણીને કોઈએ કહ્યું કે “તમે હવે સાઈકલને બદલે મોટરસાઈકલ કે સ્કૂટર ચલાવો તો ?' ત્યારે એમણે કહેલું કે “જ્યાં સુધી મારાથી લગભગ દોઢ દાયકા મોટા પૂજ્ય માનભાઈ સાઈકલ ચલાવે છે ત્યાં સુધી મારાથી મોટરસાઈકલ ચલાવી ન શકાય.' માનભાઈના સાદાઈ અને કરકસરભર્યા નિરભિમાની જીવનનો પ્રભાવ કેટલો બધો હતો અને બધાને એમના પ્રત્યે કેટલો બધો આદરભાવ હતો તે આના પરથી જોઈ શકાશે. - સ્વ. માનભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૮ના ઑગસ્ટની ૨૮મી તારીખે તળાજામાં થયો હતો. એમના પિતા નરભેશંકર ભટ્ટ રાજ્યની નોકરીમાં ફોજદાર તરીકે કામ કરતા. માતાનું નામ માણેકબા. માનભાઈએ પાંચ વર્ષની વયે માતા ગુમાવી અને ભાવનગરમાં દાદાજી અંબાશંકર ભટ્ટ પાસે ઊછર્યા. દાદાજીએ માનભાઈ અને બીજા ભાઈબહેનોને સ્વાશ્રયી બનતાં શીખવ્યું. નાની ઉંમરે રાંધતાં, કૂવેથી માથે પાણી લાવતાં, ગાર કરી લીંપણ કરતાં, ચૂનો તૈયાર કરીને ઘર ધોળતાં, દળતાં, સાઈકલ ચલાવતાં, પાણીમાં તરતાં, સાંધતાં-સીવતાં વગેરે ઘણું બધું શીખવ્યું. માનભાઈને નાનાભાઈ ભટ્ટના દક્ષિણામૂર્તિમાં છાત્રાવાસમાં દાખલ કરેલા, પણ ભણવામાં માનભાઈને બહુ રસ પડ્યો નહોતો. ૧૬ ] Jain Education International સાંપ્રત સહચિંતન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy