SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ રહિત બનાવવાનું હોય છે. પરંતુ તેને બદલે તેવા કષાયોને પોષણ મળવાનો સંભવ રહે છે. વળી બીજા શિષ્યોની ચાડીચૂગલી કરવાની વૃત્તિ પણ થઈ આવે છે અને ક્યારેક અસત્યનો, માયાચારનો આશ્રય પણ લેવાઈ જાય છે. આ બધામાંથી બચવું હોય તો વાણી ઉપરનો સંયમ અત્યંત જરૂરી છે. એ માટે જુદી જુદી જાતની તકેદારી રાખવાની જરૂર છે. એમાંની એક તે વગર પૂછ્યું ન બોલવા વિશેની છે. જ્યારે કંઈક વિશેષ જાણતો હોય છે અથવા પોતાને કોઈક વાતની વહેલી ખબર પડી જાય છે ત્યારે એના પેટમાં વાત રહેતી નથી અને વગર પૂછયે પણ એ વાત ઉચ્ચારાઈ જાય છે અને એ દ્વારા જશ ખાટી જવાની વૃત્તિ સંતોષાય છે. માણસ ભગવાને ગુરુ-શિષ્યના સંબંધને લક્ષમાં રાખીને જે ભલામણ કરી છે તે ગૃહસ્થોના અંગત અને જાહેર જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે. આપણી કેટલીયે સામાજિક સંસ્થાઓની સમિતિઓમાં પોતાના વક્તવ્યને રજૂ કરવા અંગે ઠીક ઠીક ગેરશિસ્ત પ્રવર્તતી હોય છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સભાસંચાલનમાં વચ્ચે બોલીને દખલગીરી કરે છે. સભાધ્યક્ષના આદેશો ન માનવામાં જ મોટાઈ મનાય છે. ઘણી સભાઓમાં જેમ નમૂનારૂપ શિસ્ત જોવા મળે છે તેમ ગેરશિસ્ત પણ જોવા મળે છે. અંગત તેમ જ જાહેર જીવનમાં શિસ્ત વગર કોઈપણ પ્રજા બહુ પ્રગતિ ન કરી શકે. શિસ્તના પાઠ બોલવા-બેસવાની આવી નાની નાની વાતોથી શરૂ થઈ શકે. અહીં મુનિ મહારાજને ભલામણ કરવામાં આવી છે કે એમના ગુરુ ભગવંત કોઈની સાથે વાત કરતા હોય ત્યારે એમાં વચ્ચે ન બોલવું જોઈએ. વચ્ચે બોલવાથી કોઈકને ક્ષોભ થાય, કોઈક સાથે દ્વેષ, વેરભાવ ઇત્યાદિ થાય, પરિસ્થિતિ ખોટો વળાંક લઈ લે, ધાર્યું કામ પૂર્ણ ન થાય ઇત્યાદિ પ્રકારનો સંભવ રહે છે. એટલે જ કોઈની વાતમાં વચ્ચે બોલવું अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । Jain Education International For Private & Personal Use Only [ ૧૪૯ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy