SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજનું નામ પણ મોખરે છે. “બેર બેર નહિ આવે અવસર', “અબ હમ અમર ભયે ન મરેંગે”, “ક્યા સોવે ઊઠ જાગ બાઉરે', “આશા ઓરન કી ક્યા કીજે?”, “રામ કહો રહેમાન કહો', “યા પુદ્ગલ કા ક્યા વિસવાસા', “સાધો, સમતા રંગ રમીએ”, “અવધૂ ક્યા માગું ગુનાહીના', “અવધૂ નામ હમારા રાખે', “અબ ચલો સંગ હમારે કાયા” વગેરે એમનાં પદો ઠેર ઠેર સતત ગુંજતાં રહ્યાં છે. એમની ચોવીસીમાંનાં “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, પંથડો નિહાળું રે બીજા જિન તણો રે', “અભિનંદન જિન દરિશન તરસીએ', “ધાર તલવારની સોહલી, દોહલી”, “કુંથુજિન, મનડું કિમ હિન બાઝે' વગેરે સ્તવનો મંદિરોમાં ગવાતાં રહ્યાં છે. અવધૂત [અવનસારી રીતે, નિશ્ચિતપણે ધૂત=ધોઈ નાખ્યાં છે, હલાવી નાખ્યાં છે, ખંખેરી નાખ્યાં છે (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો) જેમણે એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એક સોથી અધિક પદો લખ્યાં છે. પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવની એરણે બરાબર ૧૩૬ ] સાંપ્રત સહચિંતન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy