SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુબલિજીની પ્રતિમા કરતાં ઊંચી છે. એ રીતે જિનેશ્વર ભગવાનની આ ઊંચામાં ઊંચી પ્રતિમા છે. પર્વતમાંથી કંડારેલી પ્રતિમાઓમાં આ સર્વોત્રત પ્રતિમા મનાય છે. અલબત્ત ગોમ્મટેશ્વર બાહુબલિજીની પ્રતિમા, ઉપર મસ્તકથી નીચે ઘૂંટણ સુધી, ચારે બાજુથી કંડારેલી છે, પરંતુ ઋષભદેવની આ પ્રતિમા ચારે બાજુથી કંડારેલી નથી. ખડકમાં ફક્ત આગળનો ભાગ જ કંડારેલો છે. પ્રતિમાજીનું મસ્તક પણ સંપૂર્ણ કંડારેલું નથી. પાછળથી આખી પ્રતિમા પર્વત સાથે એકરૂપ છે. ભગવાન ઋષભદેવની આ પ્રતિમા કેટલી વિશાળ છે તેનો ખ્યાલ એની થોડી વિગતો પરથી આવશે, જેમ કે એમનું મસ્તક ર૬ ફૂટ લાંબું અને સાડા સત્તર ફૂટ પહોળું છે. એમની આંખો ત્રણ ફૂટ જેટલી લાંબી છે. એમના કાન સાડા નવ ફૂટ લાંબા છે. નાક ચાર ફૂટનું છે. એમના હાથ ૪૬ ફૂટ લાંબા છે. એમના પગ (કમરથી) ૪૭ ફૂટ લાંબા છે. એમના પગનો પંજો પાંચ ફૂટનો છે. આ બધા આંકડા પરથી મૂર્તિની ઊંચાઈ અને ભવ્યતાનો ખ્યાલ આવી શકે છે. આ પ્રતિમા ભગવાન ઋષભદેવની જ છે એની ખાતરી એમના પગ પાસે બંને બાજુ પર્વતના પથ્થરમાં યક્ષ-યક્ષિણી કોતરેલાં છે તે ઉપરથી થાય છે. યક્ષ ગૌમુખ અને યક્ષિણી ચક્રેશ્વરી દેવી એ બંનેની આકૃતિ સુરેખ કોતરાયેલી છે. માળવાનો આ પ્રદેશ સૈકાઓ પૂર્વ અત્યંત સમૃદ્ધ હતો. લોકો ખાધેપીધે બહુ સુખી હતા. “ડગ ડગ રોટી, પગ પગ નીર’ એવી કહેવત આ પ્રદેશ માટે ત્યારે પ્રચલિત હતી. માળવાના આ પ્રદેશમાં બાવનગજા ઉપરાંત માંડવગઢ, અવંતી, ધાર, કુક્ષી, મક્ષી, સિદ્ધવરકૂટ, ગોમ્મદગિરિ, બનેડિયા વગેરે તીર્થો આવેલાં છે. નર્મદા નદીના કિનારે આવેલી બડવાની નગરી પૌરાણિક બાવનગજા Jain Education International [ ૧૩૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy