SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બાવનગજા પહોંચી ગયા. અમે સિદ્ધક્ષેત્ર બાવનગજા પહોંચીને ત્યાં કાર્યાલયમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ધર્મશાળા સારી છે, પણ અમારી જરૂરિયાત સંતોષે એવી નહોતી. એમ છતાં તેમાં રહેવાનું અમે વિચારતા હતા, ત્યાં એક ઉપરી કર્મચારીએ કહ્યું, “સાહુજીનું ગેસ્ટ હાઉસ થોડે છેટે છે. તમારી પાસે ગાડી પણ છે. તમને જો વાંધો ન હોય તો ત્યાં જઈ શકો છો.” અમે ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા. તીર્થસ્થળોમાં હોય છે એના કરતાં ઘણી વધારે સગવડ ત્યાં હતી. એટલે અમે ત્યાં જ ઉતારો રાખ્યો. બીજે દિવસે સવારે અમે ડુંગર પર ચઢાણ ચાલુ કર્યું. ડુંગરના ઊંચામાં ઊંચા શિખર સુધી આશરે સાતસો પગથિયાં છે. પરંતુ બાવનગજા ઋષભદેવ ભગવાનની પ્રતિમા સુધી તો આશરે સો પગથિયાં છે. અમે પ્રથમ ત્રઋષભદેવ ભગવાનનાં દર્શન કર્યા. ભગવાનની ઉત્તુંગ પ્રશાન્ત ખગાસનમાં ઊભેલી ભવ્ય નગ્ન પ્રતિમા જોઈ અમે પ્રભાવિત થઈ ગયા. ત્યાં દર્શન-ચૈત્યવંદન તથા ભક્તામર સ્તોત્રનો અમે પાઠ કર્યો. ભગવાન ઋષભદેવની આ મૂર્તિ ૮૪ ફૂટ ઊંચી છે, પરંતુ લોકોમાં પહેલેથી બાવનગજા' નામ પડી ગયું છે. આવું નામ કેમ પડ્યું હશે એ વિશે અટકળો થાય છે. જૂના વખતમાં ગજ એટલે હાથ જેટલું માપ ગણાતું. લોકોએ અંદાજ લગાવ્યો હશે કે મૂર્તિ બાવન ગજ જેટલી ઊંચી હશે. માટે “બાવનગજા' નામ આ તીર્થનું પડી ગયું હશે. વસ્તુતઃ મૂર્તિ ૮૪ ફૂટ ઊંચી છે. ફૂટનું માપ અંગ્રેજો આવ્યા પછીનું વર્તમાન કાળનું છે. એમ છતાં મેળ બેસાડવામાં આવે છે કે ભગવાનનું આયુષ્ય ચોર્યાસી લાખ પૂર્વનું હતું, એટલે મૂર્તિ ૮૪ ફૂટની છે. અથવા બાવનગજી Jain Education International [ ૧૩૧ WWW.jainelibrary.org For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy