SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ હાથીદાંત જોતાં હાથીનું, મોરપિચ્છ જોતાં મોરનું, અમુક પ્રકારના પહેરવેશ પરથી તે સૈનિક છે એવું અથવા ધૂળમાં પગલાં પડ્યાં હોય તો તે કોનાં પગલાં છે તેનું અનુમાન કરીએ તો તેવા પ્રકારના અનુમાનને અવયવલિંગજન્ય અનુમાન” કહેવામાં આવે છે. પગનો માત્ર અંગૂઠો જોયો હોય અને તેના પરથી વ્યક્તિનું આખું સરસ ચિત્ર દોરી આપનારા ચિત્રકારો હતા. કેટલીક વસ્તુઓને એના એક નાના અવયવ પરથી ઓળખી શકાય છે કે ઓળખાવી શકાય છે. એ અવયવ એના એક મુખ્ય લક્ષણરૂપ હોવો જોઈએ, એ એની વિશિષ્ટતા દર્શાવતો હોવો જોઈએ. પાંચ-પંદર છોકરાઓ હોય અને કોઈ કહે, “પેલા માંજરી આંખવાળાને બોલાવજો.' તો એમાં માંજરી આંખવાળાને આપણે બોલાવીએ છીએ. એના શરીરમાંનો એક લાક્ષણિક અવયવ તે એની આંખો છે. એ આંખો બીજા કરતાં જુદી છે. એ એની લાક્ષણિકતારૂપ છે. માટે તેને માત્ર માંજરી આંખથી ઓળખી શકાય છે. પશુપક્ષીઓને ઓળખવા માટે પણ એના લાક્ષણિક અંગ કે અવયવનો આશ્રય લઈ શકાય છે. “આશ્રયલિંગજન્ય શેષવત અનુમાન' એટલે આશ્રયી પરોક્ષ હોય અને તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ હોય તો એથી આશ્રયીનું અનુમાન થઈ શકે. જેમ કે ધુમાડો દેખાતો હોય, પ્રત્યક્ષ હોય પણ અગ્નિ ન દેખાતો હોય તો ધુમાડા પરથી અગ્નિનું અનુમાન થાય. એવી રીતે જ્યાં બગલા ઊડતા હોય તો ત્યાં એટલામાં ક્યાંક પાણી હોવું જોઈએ એવું અનુમાન થાય. માણસના ચહેરા પરથી, અરે માત્ર એની આંખો પરથી એના મનમાં કેવા ભાવ કે વિચાર ચાલી રહ્યા છે તેનું અનુમાન કરી શકાય છે. લોકોક્તિ છે કે “પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં લક્ષણ બારણામાંથી.” મનુષ્યના સ્વભાવની લાક્ષણિકતાઓ એના વર્તનમાં ૧૨૮ 1 સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy