SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કે આ શંખનો ધ્વનિ છે. કાગડાનો કા....કા અવાજ સાંભળીને મનમાં નક્કી થાય છે કે આ કાગડાનો અવાજ છે. એ જ રીતે વિવિધ પશુપક્ષીઓના અવાજ સાંભળીએ અથવા આપણને પરિચિત હોય એવા માણસોના અવાજ સાંભળીએ કે ચીજવસ્તુઓના ધ્વનિ સાંભળીએ એટલે કે તે કાર્ય થાય અને ત્યારે તેના કારણરૂપ વ્યક્તિ, વસ્તુ કે પશુપક્ષી પરોક્ષ હોય તો પણ આપણે તેને પારખી લઈએ છીએ. આવા અનુમાનમાં બહુ બુદ્ધિશક્તિની જરૂર નથી. થોડો મહાવરો બસ છે. આ અનુમાનને ‘કાર્યલિંગજન્ય શેષવત્' કહેવામાં આવે છે. આવી જ રીતે જ્યારે કારણ પ્રત્યક્ષ હોય ત્યારે કાર્યનું અનુમાન કરીએ ત્યારે તેને ‘કારણલિંગજન્ય શેષવત્ અનુમાન' કહેવામાં આવે છે. જેમ કે માટીનો પિંડ ઘડાનું કારણ છે, પણ ઘડો માટીનું કારણ નથી. તંતુઓ પટનું કારણ છે, પણ પટ તંતુનું કારણ નથી. આને ‘કારણલિંગજન્ય શેષવત્ અનુમાન' કહેવામાં આવે છે. ગુણલિંગજન્ય શેષવત્ અનુમાનમાં ગુણ પ્રત્યક્ષ હોય છે અને ગુણી પરોક્ષ હોય છે. સુગંધનો અનુભવ થાય તે વખતે આપણે અનુભવના આધારે અનુમાન કરીએ છીએ કે આટલામાં ક્યાંક ગુલાબ હોવાં જોઈએ, અથવા મોગરો, ચંપો વગેરે હોવાં જોઈએ. ગુલાબ કે મોગરો કે ચંપો પ્રત્યક્ષ નથી પણ સુગંધથી એનું અનુમાન કરીએ છીએ. અમુક પ્રકારની દુર્ગંધ આવતી હોય તો આપણે અનુમાન કરીએ છીએ કે આટલામાં ક્યાંક ગટર હોવી જોઈએ અથવા તેવું કોઈ કારખાનું હોવું જોઈએ. આવા અનુમાનને ‘ગુણલિંગજન્ય શેષવત્ અનુમાન' કહેવામાં આવે છે. આવી જ રીતે અવયવ પ્રત્યક્ષ હોય પણ અવયવી પ્રત્યક્ષ ન હોય તો અવયવ ઉપરથી અવયવીનું અનુમાન કરીએ તે ‘અવયવલિંગજન્ય શેષવત્ અનુમાન' કહેવાય છે. ઉદાહરણ તરીકે सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए । [ ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy