SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષહ સહઈ, તેત્રીસ આશાતના ટાલઈ, બઈતાલીસ દોષવિશુદ્ધ મધુકરી વૃતિઈ આહાર લેઈ, પંચ દોષરહિત મંડલી ભુજઈ, જે સમશત્રુ-મિત્ર સમ-લેડ્ડ-કંચણ, પંચસમિયા, તિગુત્તા, અમમાં, અકિંચણા, અમચ્છરા, જીઈંદિયા, જીયકસાયા, નિમ્મલ બંભર્ચરવાસા, સઝાયઝાણ-જુગા, દુક્કર તવચરણરયા, અરસાહારા, વિરસાહારા, અંતાતારા, પંતાતારા, અરસજીવી, વિરમજીવી, અંતજીવી, પંતજીવી, તુચ્છાદાર, સુહાહારા, સુકા, ભુક્કા, નિમ્મસા, નિસ્સોણિયા, કિસિઅંગા, નિરાગસરણા, કુખિસંબલા, ખજ્ઞાનકુલે ભિક્ષા વત્તિણો મુણિણો હવંતિ. ઇસ્યા છે સર્વજ્ઞપુત્ર સાધુ સંસારભય થકી ઉભગા, દયાતણા પ્રતિપાલક, ભગવતી અહિંસા સર્વ ભૂતને ક્ષેમકરી, મહાપુરુષસેવી, કાયર-કાતર જીવ પરિહરી, તેહના પ્રતિપાલક, અનાથ જીવના નાથ, અપીહર જીવના પીહર, અશરણ જીવના શરણ, સર્વજ્ઞપુત્ર, નિઃકિંચણ, નિરહંકારી, નિઃપરિગ્રહી, નિરારંભી, શાંત, દાંત, રત્નત્રય સાધક, અઢાઈ દ્વીપ માંહે જીકે છે સાધુ તે સવિ સાધુ પ્રત્યે માહરો નમસ્કાર, પંચાંગ પ્રણામ, ત્રિકાલ વંદના સદા સર્વદા થાઓ.” આવા સાધુપદનો મહિમા ગાતાં કહેવાયું છે કેन च राजभयं न च चोरभयं इहलोकसुखं परलोकहितं । नरदेवनतं वरकीर्तिकरं श्रमणत्वमिदं रमणीयतरम् ॥ સાધુ ભગવંતોને એમની પારદર્શક આચારશુદ્ધિને કારણે રાજ્યનો કે ચોરનો ભય હોતો નથી. તેઓ આ લોકમાં આધ્યાત્મિક સુખ ભોગવે છે અને પરલોકનું હિત સાધી લે છે. તેઓને મનુષ્યો અને દેવો વંદન કરે છે અને તેમની કીર્તિ ચારે બાજુ પ્રસરે છે. માટે શ્રમણપણું અત્યંત રમણીય છે. વળી કહ્યું છે : ૧૮ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy