SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ નામ “બડે બાબા' પાડી દીધું છે. છેલ્લા ત્રણ સૈકાથી આ જ નામ પ્રચલિત છે. ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર સ્વામી, તીર્થંકર સ્વરૂપ તો એકસરખું જ છે. એટલે કે લોકમાન્યતામાં ફેરફાર કરવાના કોઈ પ્રયાસની આવશ્યકતા જણાઈ નથી. બડે બાબાનાં દર્શન કરવાની ભાવના તો મારા મનમાં ઘણા વખતથી હતી. જબલપુર અને દમોહ જવાનું તો ત્રણેક વખત થયું. પણ કુંડલપુર જવાયું નહોતું. એટલે જ મારા મિત્રો શ્રી જગદીશભાઈ ખોખાણી, શ્રી રમેશભાઈ શાહ અને શ્રી બિપિનભાઈ ગોડા સાથે જ્યારે બીજી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ જબલપુર આચાર્ય શ્રી વિદ્યાસાગરજીનાં દર્શન-વંદન માટે જવાનું નિશ્ચિત થયું ત્યારે જ અમે સંકલ્પ કર્યો હતો કે એક-બે દિવસ ત્યાં વધુ રોકાઈને વચ્ચે એક દિવસ કુંડલગિરિ જઈને બડે બાબાનાં દર્શન કરી આવવાં. પરંતુ અમે જબલપુર પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ જુદી હતી. ત્યારે ત્યાં ભારે વરસાદ પડી ગયો હતો અને હજુ પણ ચાલુ હતો. અમારા યજમાન, જબલપુરના દિગંબર સમાજના એક આગેવાન કાર્યકર્તા શ્રી નરેશદાદાએ કહ્યું કે “કુંડલપુર જવા અને ત્યાં રાત રોકાવા માટે તમારી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પરંતુ વરસાદ ઘણો પડ્યો છે. મધ્યપ્રદેશના રસ્તા આમ પણ ખરાબ છે. તેમાં વરસાદથી વધુ ખાડા પડી ગયા છે અને કાદવવાળા થઈ ગયા છે એટલે જવાઆવવામાં તમને સમય વધુ લાગશે અને થાક પણ વધુ લાગશે. એટલે મારા અભિપ્રાય પ્રમાણે તમારા માટે કુંડલપુર જવાનું યોગ્ય નથી. જવું હોય તો પાસે દોહરીબંધ તીર્થનાં દર્શન કરી આવો.' રસ્તો ખરાબ હોવાથી ન છૂટકે અમે બધાએ આ દરખાસ્ત સ્વીકારી લીધી. પરંતુ બીજે દિવસે મને વિચાર આવ્યો કે મુંબઈથી સંકલ્પ કરીને નીકળ્યા છીએ, વળી આટલે દૂર જબલપુર સુધી આવવાનું હવે પાછું જલદી થાય કે નહિ. એટલે જો શક્ય હોય તો કુંડલગિરિની ૨ ] Jain Education International સાંપ્રત સહચિંતન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy