SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ બડે બાબા જૈન તીર્થોમાં ‘બડે બાબા'ના નામથી પ્રચલિત કોઈ તીર્થ હોય તો તે મધ્યપ્રદેશમાં આવેલું કુંડલપુર-કુંડલગિર તીર્થ છે. આ દિગંબર તીર્થ બુંદેલખંડના ‘તીર્થરાજ’ તરીકે સ્થાન ધરાવે છે. તીર્થસ્થળમાં નીચે તળેટીમાં ગામ તે કુંડલપુર કહેવાય છે અને પાસે આવેલો પહાડ તે કુંડલિગિર તરીકે ઓળખાય છે. (બિહારમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ કુંડલપુરથી આ તીર્થ ભિન્ન છે. નામસામ્યને કારણે ગેરસમજ ન થવી જોઈએ.) જૈન તીર્થોમાં આ એક તીર્થની એવી લાક્ષણિકતા છે કે ડુંગર ઉપરના મુખ્ય મંદિરમાં વિશાળકાય પ્રતિમા તે ઋષભદેવ ભગવાનની છે અને લોકો સૈકાઓથી આજ દિવસ સુધી આ પ્રતિમાને ભગવાન મહાવીર સ્વામી તરીકે પૂજતા અને ભજતા આવ્યા છે. વસ્તુતઃ લોકો તો એમને ‘બડે બાબા' તરીકે જ પૂજે છે, પછી ભલે એ ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર સ્વામી હોય, પ્રથમ તીર્થંકર હોય કે ચરમ તીર્થંકર હોય. લોકોની બડે બાબા માટેની શ્રદ્ધા અનન્ય છે. જૈનો અને અજૈનો - સર્વ કોમના લોકો આ તીર્થની યાત્રાએ આવે છે, ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે અને માનતા પણ માને છે. બડે બાબાનો ચમત્કાર ઘણો મોટો છે. વસ્તુતઃ સામાન્ય લોકોએ જ ભગવાનનું બડે બાબા Jain Education International For Private & Personal Use Only [ ૧ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy