SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ જોઈએ જ. પરંતુ દીકરો સોળ વર્ષનો થાય ત્યારે સમજણો થાય છે. સ્વતંત્ર રીતે વિચારતો થાય છે. કેટકેટલી બાબતમાં એનાં સલાહ-સૂચન કામ લાગે છે. સોળ વર્ષ પછી દીકરાને મારવાથી તે સામે થઈ જાય છે. હવે એનામાં શારીરિક તાકાત પણ આવી હોય છે. એટલે માબાપે મારવાનું છોડી દેવું જોઇએ. બહુ શિખામણ આપવાનું પણ છોડી દેવું જોઇએ. એની પાસેથી સારામાં સારું કામ લેવું હોય તો એને મિત્ર જેવો ગણવો જોઇએ. વૃદ્ધાવસ્થામાં માતાપિતાએ પોતાની શારીરિક અને સ્વભાવગત મર્યાદા સમજી લેવી જોઈએ. જીવન સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને પોતાના જમાનાની ફૂટપટ્ટીથી માપવી ન જોઇએ. “અમે આવા હતા અને તમે આવા થઈ ગયા” એમ કહી નવી પેઢીને ઉતારી પાડવાની વૃત્તિને સંયમમાં રાખવી જોઈએ. જૂની આંખે નવા તમાશા ઉદારતાપૂર્વક જોવા જોઇએ. અનિવાર્ય લાગે તો જ સૂચન કરવું, પણ આગ્રહી ન બનવું જોઇએ. નવી પેઢીના વિકાસમાં ઈરાદાપૂર્વક આડખીલીરૂપ ન થવું જોઇએ. સંઘર્ષના વિષયો ટાળતાં શીખવું જોઇએ અને વાત્સલ્ય અને ઉષ્માથી જીવનને સુસંવાદી બનાવવાની કલા હસ્તગત કરવી જોઇએ. આજના જુવાનિયાઓ બગડી ગયા છે એવા ભ્રામક ખ્યાલોમાંથી મુક્ત બનવું જોઈએ. જ્યાં આવું થાય છે ત્યાં પુત્રનો ડર રહેતો નથી. એવા ઘરોમાં પુત્ર ઘડપણમાં લાકડીરૂપ બને છે. પિતાના બધા જ વિચારો સાથે પોતે સંમત ન હોવા છતાં એમને એમનું જીવન એમની રીતે જીવવા દેવું જોઈએ એમ સાચી રીતે માનીને એમને સર્વ પ્રકારની અનુકૂળતાઓ કરી આપનાર સંતાનો પણ અનેક સ્થળે જોવા મળે છે. માતૃભક્તિ અને પિતૃભક્તિનાં જવલંત ઉદાહરણો પણ કેટકેટલાં જોવા મળે છે ! જેમને ડર જોઇતો નથી એમણે બીજાને ડરાવવાનું પહેલાં બંધ કરવું જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy