SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । ૧ ૬૫ જે કોઇ એક વાત કે વિષય એક જમાના માટે અત્યંત મૂલ્યવાન હોય તે બીજા જમાના માટે સાવ નિરર્થક બને એવી જીવાતા જીવનની લાક્ષણિકતા છે. | કઈ વસ્તુ પોતાને માટે સાર્થક છે અને કઈ નિરર્થક છે એનો નિર્ણય કરવા માટે દરેક વ્યક્તિનો માપદંડ જુદો જુદો હોઈ શકે. એક વ્યક્તિને જે વાત, કાર્ય ઇત્યાદિ સાર્થક લાગતાં હોય તે બીજાને નિરર્થક લાગે. એકની એક વ્યક્તિને એક વસ્તુ એક કાળે સાર્થક લાગતી હોય તે સમય જતાં નિરર્થક લાગવાનો સંભવ છે. મનુષ્યના જીવનમાં કંઈ ભૂલ ન થઈ હોય તો પણ વીતી ગયેલા વર્ષોનું વિહંગાવલોકન કરતાં એને જરૂર એમ લાગે છે કે અમુક કાર્યોમાં પોતાનો જે સમય પસાર થઈ ગયો તે કાર્યો ન કર્યો હોત તો ચાલત; એટલો સમય જો વધુ સારી પ્રવૃત્તિમાં પસાર થયો હોત તો જીવનમાં વધુ પ્રગતિ થઈ શકી હોત. જીવનનું સ્વરૂપ એવું છે કે કેટલીક બાબતો વર્તમાન સમયમાં બહુ મહત્ત્વ ધરાવતી હોય, ક્યારેક તો જીવન-મરણના સવાલ જેવી હોય, પણ વર્ષો વીત્યા પછી ભૂતકાળની એ ઘટનાઓ પર નજર નાખતાં તે ક્ષુદ્ર અને નિરર્થક લાગે છે. ક્યારેક પશ્ચાત્તાપ થાય છે કે કેવી મામૂલી વાતો માટે જિદગીનો કેવો સોનેરી સમય આપણે વેડફી નાખ્યો. નાનાં બાળકો કેવી નાની નાની વાતો માટે માંહોમાંહે લડે-ઝઘડે છે? એ જ બાળકો મોટાં થતાં એ જ વાતો માટે લડતાં ઝઘડતાં શરમાશે. નાનું બાળક શેરીમાં કાંકરા વીણતું હોય કે સમુદ્ર કિનારે છીપલા વીણતું હોય તો એને માટે અત્યંત રસનો વિષય બને છે, પરંતુ એ જ બાળક મોટું થાય છે ત્યારે છીપલા વીણવાનું અને હાસ્યાસ્પદ લાગે છે. તેવી રીતે બાલ્યકાળમાં કે યુવાવસ્થામાં કરેલી કેટલીયે પ્રવૃત્તિઓ પાકટ વયે હાસ્યાસ્પદ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy