SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જલ જીવન જગમાંહિ ૧૪૭ સમયમાં તો સવારના પહોરમાં ઠેર ઠેર અનેક દમયંતીઓ “ઓ નળ ! ઓ નળ ! બોલતી, બીજો નહિ ઉચ્ચાર' જોવા મળે છે. એક કવિએ જળની પ્રશંસા કરતાં કહ્યું છે. शैत्यं नाम गुणस्तवैव सहजः स्वाभाविकी स्वच्छता । किं ब्रुमः शुचितां भवन्ति शुचयः स्पर्शेन यस्यापरे ॥ किं वातः परमुच्यते स्तुतिपदं यज्जीवनं देहीनाम् । त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोद्धं क्षमः ।। હિ જળ (પય) ! શીતળતા તારો સહજ ગુણ છે. તારામાં સ્વચ્છતા પણ સ્વાભાવિક છે. બીજા પવિત્ર પદાર્થો તારા સ્પર્શથી વળી પવિત્ર બને છે એ વિશે અને શું કહીએ ? અમે તો એટલું જ કહીએ છીએ કે તું દેહધારીઓનું જીવન છે, માટે તું સ્તુતિપદને યોગ્ય છે. આમ છતાં નીચા માર્ગે તું જાય છે તો તેને રોકી શકવા કોણ સમર્થ છે?]. આ શ્લોકમાં અન્યોક્તિ છે. જળના બહાને કોઇક વ્યક્તિને સંબોધન છે. એ વ્યક્તિ બીજી રીતે ઘણી સારી છે, પણ અધઃપતનના માર્ગે ગઈ છે. એના અધ:પતનને કોઈ અટકાવી શકે એમ નથી. પાણીમાં ગુણો ઘણા છે, પરંતુ નીચે જવું, નીચે ધોધ થઇને પડતું મૂકવું-અધઃપતિત થવું એ એનો મોટો દુર્ગુણ છે, એવી કવિકલ્પના છે. વાસ્તવમાં પાણીનું નીચે જવું એ પણ સાર્થક કરે છે. એમ ન થાય તો નદીઓ વહે નહિ. એમાં આવેલાં પૂર ઓસરે નહિ. જલનું અધ:પતન વાસ્તવિક રીતે માનવજાત ઉપર ઉપકારક છે. એનું અધ:પતન છે તો વિદ્યુતનું ઉત્પાદન થઈ શકે છે. પાણીની શુદ્ધિ અને અશુદ્ધિ એવી બે અંતિમ કોટિની કેવી મોટી ખાસિયતો છે ! ગમે તેવી ગંદી વસ્તુ પાણીથી સાફ, સ્વચ્છ થઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy