SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧ ર મિલકત અને એની વહેંચણી એ સંતાનો સાથેના વૈમનસ્યનું મોટું કારણ બને છે. માબાપને બેચાર દીકરાઓ હોય ત્યારે તે દરેકને સરખે ભાગે મિલકત વહેંચી આપવામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. માબાપનો એકાદ દીકરા પ્રત્યેનો પક્ષપાત એમાં ભાગ ભજવી જાય છે. મિલકતના વિભાજનથી સંતાનોને સર્વથા સાચો સંતોષ થયો હોય એવું જવલ્લે જ બને છે. ભાઈભાઈ વચ્ચેનો સ્નેહ ઓસરે છે. દેરાણી-જેઠાણી વચ્ચે કે સાસુવહુ વચ્ચે માનસિક તનાવ ચાલુ થઈ જાય છે. મહેણાં-ટોણાં દ્વારા અભિપ્રાયો છતા થાય છે. પોતાને અન્યાય થયો છે એવું લાગે ત્યારે દીકરાઓ પિતાની સામે થાય છે. ઉગ્ર કે અયોગ્ય વચનો બોલે છે, મર્યાદા તૂટે છે. પછી માબાપને સંતાનો પાસે ડરીને, સાચવીને બોલવાનો, કશુંક છુપાવવાનો વખત આવે છે. માણસની મિલકત બધી જ રોકડ રકમરૂપે નથી હોતી. એમ હોય તો ભાગાકાર સહેલા બને છે. પણ ઘર, જમીન, ઘરેણાં, દુકાન, વેપાર-ઉદ્યોગ વગેરેના રૂપમાં રહેલી મિલકતના મૂલ્યાંકનમાં મતભેદ ઊભા થાય છે. પોતે એવો ભાગ લેવો કે ન લેવો એના પ્રશ્નો ઊભા થાય છે. એમાંથી ઉગ્ર અસંતોષ પ્રગટ થાય છે, પોતાના ભાગની અમુક મિલકત માટે પોતાનો આગ્રહ રખાય છે. પછી કુટુંબકલેશ ચાલુ થાય છે. હસતા વૃંદાવનમાં બાવળિયા ઊગવા લાગે છે. માતાપિતાની પ્રસન્નતા હણાઈ જાય છે. વાણી-વ્યવહારમાં ફરજિયાત સંયમ લાવવો પડે છે. પુત્ર માતાપિતાને કેવો ત્રાસ આપે તેની સાચી બનેલી એક ઘટનાનો હું સાક્ષી છું. માબાપને ચાર દીકરા હતા અને ચારે પરણ્યા ત્યાં સુધી આનંદ-કલ્લોલમાં તેઓનું જીવન એક જ ઘરમાં વીત્યું. પણ પછી તેઓને સંતાનો થતાં, કુટુંબનો વિસ્તાર થતાં ઘર નાનું પડ્યું એટલે છૂટા થવાની વાત આવી. મિલકતની વહેંચણીમાં ભાઇઓનાં મન ઊંચાં થયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy