SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ભગવાન મહાવીર (સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરનાર જ ત્યાગી કહેવાય છે) ભગવાન મહાવીરસ્વામીએ દસર્વકાલિક સૂત્રમાં સાધુઓને ઉદ્દેશીને જે કેટલીક માર્મિક અને હિતકર વાતો કહી છે તે સાધકના હૃદયમાં વસી જાય એવી છે. એમાં ત્યાગીનાં લક્ષણો દર્શાવતાં એમણે કહ્યું છે : वत्थगंधमलंकारं ईन्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चई ॥ [વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રી તથા શયનાદિનો ઉપભોગ જેઓ સંજોગવશાતું કરી શકતા નથી તેઓ ત્યાગી કહેવાતા નથી.] जं य कते पिए भोए लद्धे विमिट्टि कुव्वई । साहीणे चयई भोए से हु चाइ नि वुच्चई ॥ [સરસ અને પ્રિય ભોગો ઉપલબ્ધ હોવા છતાં તેના તરફ જે પીઠ ફેરવે છે અને સ્વાધીનપણું ભાગોનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે.] પ્રાકૃત શબ્દ ‘ચાઈ'નો અર્થ થાય છે ‘ત્યાગી’. કોણ સાચા ત્યાગી કહેવાય અને કોણ ન કહેવાય તે અહીં બતાવ્યું છે. કેટલાક માણસોને ત્યાગી થવું પડે છે. કેટલાક સ્વેચ્છાએ ત્યાગી થાય છે. ત્યાગ કરવા લાયક સ્થૂલ અને સૂક્ષ્મ એવી અનેક વસ્તુઓ છે. અહીં ઉદાહરણ તરીકે કેટલીક મોટી સ્કૂલ મુખ્ય વસ્તુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને તે પણ સાધુઓને લક્ષમાં રાખીને. વસ્ત્ર, સુગંધી-સુશોભનના પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ (સાધ્વી માટે પુરુષો), શયન-આસન વગેરે ઉપકરણોનો ત્યાગ કરીને માણસ સાધુસંન્યાસી થાય છે. મુનિ તરીકે દીક્ષિત થતાં વ્યક્તિ પોતાનું ઘર છોડે છે. એ છોડવા સાથે પોતાનાં પ્રિય વસ્ત્રોનો Jain Education International For Private & Personal Use Only www.jathelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy