________________
विनयमूलो धम्मो
૭૭
છે અને વિનય આવે છે. એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર તરીકે ઓળખાવી શકાય.
ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુ- સાધ્વીઓ પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યકતા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે વિવિધ પ્રકારના નિયમો બતાવવામાં આવ્યા છે કે જેથી મનમાં સંશય ન રહે અને આચાર્યાદિ ગુરુભગવંતોનો મહિમા બરાબર સચવાય. ઔપપાતિક સૂત્રમાં લોકોપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે.
लोगोवयारविणए सत्तविहे पण्णत्ते तं जहा(૧) સમાવિત્તિયં, (૨) પછવાનુવત્તિયં, (૩) જ્ગહેૐ, (૪) યપડિજિરિયા, (૫) અત્તવેળયા, (૬) રેશાહનુયા, (૭) સબટ્વેતુ, (૮) અડિજોમયા.
લોકોપચાર વિનય સાત પ્રકારનો છે : (૧) ગુરુ વગેરેની પાસે રહેવું, (૨) એમની ઇચ્છાનુસાર વર્તવું, (૩) એમનું કાર્ય કરી આપવું, (૪) કરેલા ઉપકારનો બદલો વાળવો, (૫) વ્યાધિગ્રસ્તની સારસંભાળ રાખવી, (૬) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (૭) એમનાં બધાં કાર્યોમાં અનુકૂળ વૃત્તિ રાખવી.
ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ ઉપચારવિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા જવું, બેઠા હોઇએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં જવાબ ન આપતાં પાસે જઇ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વંદન કરતી વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા હોય ત્યારે તેમની આગળ નહિ પણ બાજુમાં કે પાછળ ચાલવું, એમનાં ઉપકરણો વગેરેની સંભાળ રાખવી, તેઓ કોઇની સાથે વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલવું, તેમને પ્રિય અને અનુકૂળ લાગે એવી વાણી બોલવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org