SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કે ધનના જોરે ઘાંટો પાડીને બીજાને ધ્રુજાવનારા પણ તીવ્ર શારીરિક પીડા થતાં ચીસાચીસ કરવા લાગે છે. તે વખતે તેમની સ્થિતિ જોવા જેવી હોય છે. જે સાધક પોતાનાં આહાર-પાણીને બરાબર જાણે છે અને તે અનુસાર આહાર લે છે તે સાધકને માંદા પડવાનો અવસર જવલ્લે જ આવે છે. કેટલાયે સાધુ મહાત્માઓ એવા હોય છે કે જેમને આખી જિંદગીમાં કોઈ દિવસ તાવ આવ્યો હોય કે માથું દુ:ખ્યું હોય એવી નાની સરખી બીમારી પણ આવી નથી હોતી. કેટલાક એવા મહાત્માઓ છેલ્લે અન્નપાણીના ત્યાગ દ્વારા દેહનું વિસર્જન પણ સ્વેચ્છાએ સમાધિપૂર્વક કરે છે. આવા મહાત્માઓને જીવનમાં કોઈ પણ પ્રકારની દીનતા, લાચારી, પરવશતા વગેરે અનુભવવાં નથી પડતાં. એટલે જ એવી દશા જેઓને પ્રાપ્ત કરવી છે તેઓએ આહારની બાબતમાં સજાગ અને સભાન રહેવાની જરૂર છે. આહારની અને એની માત્રાની શરીર અને ચિત્ત ઉપર સારી કે માઠી અસર થયા વગર રહેતી નથી. આહારનું પણ સત્ત્વ, રજસ્ અને તમસું એ ત્રણ ગુણોની દષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે છે. માણસ ધારે તો સતત અવલોકન કરીને કયા પ્રકારના આહારથી પોતાના ચિત્ત ઉપર કેવો પ્રભાવ પડે છે, તેનો નિર્ણય કરી શકે અને પોતાને માટે પથ્યાપથ્ય શું છે તે સમજી શકે. સાધકો માટે એ બહુ જરૂરી છે. બ્રહ્મચર્યનું સંનિષ્ઠ પાલન કરનાર માટે એ સવિશેષ ઉપયોગી છે. કોઈ વ્યક્તિ પોતાના ખાનપાનની માત્રાની બરાબર જાણકાર છે અને એ પ્રમાણે જ આહારાદિ લે છે એની કસોટી કઈ ? સામાન્ય નિયમ એવો છે કે પોતાના શરીરનો બાંધો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy