SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જિનતત્વ હોય છે. હવે સિદ્ધના જીવો જ્યારે ઊર્ધ્વગતિ કરે છે ત્યારે તેમનું મસ્તક ઉપર હોય છે એટલે જ્યાં લોક પૂરો થાય છે અને અલોક શરૂ થાય છે) ત્યાં એમનું મસ્તક અડે છે. એટલે જ આપણે તીર્થંકર પરમાત્માની નવાંગી પૂજા કરતી વખતે, મસ્તકે તિલક કરતાં એનો મહિમા ગાઈએ છીએ કે : સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત વસિયા તેને કારણે ભવિ શિરશિખા પૂજત. આ રીતે સિદ્ધશિલાનું આખું દૃશ્ય જો નજર સામે કરીએ તો અનંત આત્માજ્યોતિઓનો મસ્તકનો ઉપરનો ભાગ લોકના અંતની લીટીએ એકસરખો અડીને રહેલો છે. તેમાં મસ્તકાકાર નાનામોટા છે, પરંતુ તે બધા એકસરખા એક રેખાએ અડીને રહેલા છે. પરંતુ મસ્તકની નીચેના શરીરની અવગાહનાનો ભાગ બધાંનો એકસરખો નથી, કારણ કે દરેકનું ચરમ દેહપ્રમાણ એકસરખું નથી; અને મોક્ષગતિ વખતની તેમની આસનમુદ્રા પણ એકસરખી નથી. એટલે સિદ્ધગતિના જીવોની અવગાહના મસ્તકે ઉપરના ભાગમાં સદેશ છે અને નીચેના ભાગમાં વિસદશ છે. સિદ્ધશિલા પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ છે અને તેની ઉપર સિદ્ધાત્માઓની અવગાહના રહેલી છે. સિદ્ધશિલાની ઉપર પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધાત્માઓ રહેલા છે એમ શાસ્ત્રકારો કહે છે. મુક્તિ પામનાર જીવો સમશ્રેણીએ સીધી ગતિએ બીજા સમયે સિદ્ધશિલા ઉપર લોકાગ્રે પહોંચી જાય છે. હવે મનુષ્યલોકમાં અકર્મભૂમિની સીધી દિશાએ ઉપર સિદ્ધશિલાની ઉપર રહેલા પ્રદેશોમાં પણ અનંતા સિદ્ધો રહેલા છે. પરંતુ અકર્મભૂમિમાં કેવળજ્ઞાન નથી. તો સિદ્ધશિલાની ઉપરના એ પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધાત્માઓ કેવી રીતે સંભવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કાળ અનંત છે. એમાં સંહરણ થયેલ કેવળજ્ઞાની અકર્મ ભૂમિમાં મોક્ષે જાય તો તે સિદ્ધશિલાની ઉપર એ પ્રદેશમાં પહોંચીને સ્થિત થાય. આવી રીતે અનંત કાળચક્રમાં અનંત જીવો ત્યાં પણ સિદ્ધાવસ્થા પામ્યા છે એ રીતે વિચારતાં અકર્મભૂમિ ઉપર આવેલા સિદ્ધશિલાના એ ભાગમાં પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધો રહેલા છે એ સમજાય એવું છે. જીવો બે પ્રકારના છે : (૧) સિદ્ધ અને (૨) સંસારી. સિદ્ધશિલા ઉપર સિદ્ધ જીવો તો હોય છે. પણ શું સંસારી જીવો પણ ત્યાં હોઈ શકે ? હા, કારણ કે ચૌદ રાજલોક સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. એટલે સૂક્ષ્મ નિગોદના એકેન્દ્રિય જીવો સિદ્ધશિલા ઉપર પણ અનંતા છે. ત્યાં જવાનું તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy