SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ જિનતત્ત્વ સમક્તિ દર્શન, જ્ઞાન, અગુરુલઘુ અવગાહના, સૂક્ષ્મ વીરજવાન, નિરાબાધ ગુણ સિદ્ધકે. સિદ્ધના આઠ ગુણ આ પ્રકારે ગણાવવામાં આવે છે : (૧) ક્ષાયિક સમ્યક્ત (૨) અનંત દર્શન (૩) અનંત જ્ઞાન (૪) અગુરુલઘુત્વ, (પ) અવગાહન ' (૯) સૂક્ષ્મત્વ, (૭) અનંત વીર્ય અને (૮) અવ્યાબાધ. સમવ સૂત્રમાં આઠ પ્રકારનાં કર્મોની કુલ એકત્રીસ પ્રકારની મુખ્ય પ્રકૃતિ બતાવી એદ્ધના એમ એકત્રીસ ગુણોનો નીચે પ્રમાણે નિર્દેશ કરવામાં આવ્યો છે. न परिसणंमि चत्तारि, आउए पंच आईमे अंते __ से : दो दो भेया रवीणाभिलावेण इगतीसं નિવ ગુણ દર્શન વરણીયના ક્ષયથી, ચાર આયુષ્ય કર્મના ક્ષયથી; પાંચ અંતરાય કર્મના ક્ષયથી અને બાકીનાં કર્મોના પ્રત્યેક ક્ષયથી બે બે એમ એકત્રીસ ગુણ થાય છે.] સિદ્ધ ભગવંતોએ આ કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે. એ આઠ કર્મના નીચે પ્રમાણે મુખ્ય એકત્રીસ પેટા પ્રકારો ગણાવવામાં આવે છે. એ કર્મથી સિદ્ધ ભગવંતો હોવાથી એ રહિતપણું તેમના ગુણ તરીકે દર્શાવાય છે. (૧) પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મથી રહિત (૨) નવ પ્રકારનાં દર્શનાવરણીય કર્મથી રહિત (૩) બે પ્રકારનાં વેદનીય કર્મથી રહિત (૪) બે પ્રકારનાં મોહનીય કર્મથી રહિત (૫) ચાર પ્રકારનાં આય કર્મથી રહિત (૯) બે પ્રકારનાં નામ કર્મથી રહિત (૭) બે પ્રકારનાં ગોત્ર કર્મથી રહિત (૮) પાંચ પ્રકારનાં અંતરાય કર્મથી રહિત આમ, કુલ ૩૧ પ્રકારનાં કર્મથી રહિત હોવાથી ૩૧ ગુણ થાય છે. સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ અન્ય રીતે પણ ગણાવવામાં આવે છે. સિદ્ધ ભગવંતોમાં નીચેનાં એકત્રીસ પદાર્થો કે લક્ષણો નથી હોતાં. તેનાથી રહિતપણું તે તેમના ગુણ તરીકે દર્શાવાય છે. આ એકત્રીસ વસ્તુ નીચે પ્રમાણે છે : ૧. પાંચ પ્રકારનાં સંસ્થાન – (૧. વાટલું, ૨. ત્રિખૂણ, ૩. ચોખૂણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy