SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જિનતત્ત્વ જીવો મૃત્યુ પામે છે એ વાત આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિએ સિદ્ધ થઈ ગઈ છે છતાં કેટલાને એ સમજાય છે ? સમજાયા પછી કેટલાને એવી સૂક્ષ્મ વિચારણામાં રસરુચિ જન્મશે ? રસરુચિ પછી કેટલા એ વાતને શ્રદ્ધાપૂર્વક અનુસરવાનો પ્રયત્ન કરશે ? જગતના જીવમાત્ર સાથે મૈત્રી અને કરુણાની ભાવના વગર એવા જીવોની હિંસાથી વિરમવાની વાત ગમશે નહીં. જ્યાં પંચેન્દ્રિય જીવોની જ આટલી બધી હિંસા વિશ્વમાં વધી રહી છે ત્યાં એકેન્દ્રિય અને તેમાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની ક્યાં વાત કરો છો ? – એમ કહી કોઈક હાંસી પણ ઉડાવી શકે. પરંતુ જેઓનો આત્મતત્ત્વની વિચારણામાં રસ જાગ્યો છે, જેઓને આત્મતત્ત્વની ઝાંખી થઈ છે, જેઓને સર્વ જીવોમાં શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં દર્શન થાય છે એવી વ્યક્તિઓ પોતાના આચારમાંથી ખસશે નહીં. વિશ્વમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનો પ્રતિસમય જે રીતે સંહાર થયા કરે છે તે જોતાં એમ અવશ્ય કહી શકાય કે સૂક્ષ્મ જીવોની હિંસા વિના મનુષ્યનું અસ્તિત્વ ક્ષણવાર પણ ટકી ન શકે. હાલતાં ચાલતાં, હાથપગ હલાવતાં, અરે આંખનું મટકું મારતાં પણ અસંખ્યાત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિનાશ પામે છે. વર્તમાન સમયમાં ઝડપી વાહનવ્યવહારને લીધે એનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. એક વિમાન-પ્રવાસમાં કેટલા બધા વાયુકાયના જીવોની હિંસા થાય છે ! એ જીવોનો વિનાશ કરવાનો આશય ન હોય તો પણ વિનાશ થાય છે એ હકીકત છે. ક્ષણમાત્રમાં પોતાને કારણે મૃત્યુ પામેલા આવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ધારો કે મનુષ્ય જેટલો આકાર ધારણ કરીને આપણી સમક્ષ જો ઊભા રહે તો એ સંખ્યા જોઈને આપણે દિગ્મૂઢ થઈ જઈએ. જો માણસ સમજદાર હોય તો કરુણાથી એનું હૈયું ભરાઈ આવે. એટલા માટે જ પોતાની અવરજવરને કારણે જાણતાં અજાણતાં થતી જીવોની હિંસા- વિરાધના માટે તત્કાલ ક્ષમા માગી લઈને વિશુદ્ધ થવાની જૈનોમાં એક વિધિ છે. પ્રાચીન કાળથી અદ્યાપિ પર્યત પ્રચલિત રહેલી આ વિધિ તે “ઇરિયાવહી છે. ઇરિયાવહી' શબ્દ સંસ્કૃત ચરી અથવા “ઐર્યાપથિકી' પરથી આવેલો છે. સંસ્કૃતમાં ફુઈ શબ્દના અર્થ ગતિ, ચાલવું, ફરવું, ગમનાગમન કરવું ઇત્યાદિ થાય છે. સાધુ-સન્યાસીઓની અવરજવર માટે એ શબ્દ સવિશેષ પ્રયોજાયો છે. પથ એટલે માર્ગ, રસ્તો. ઈર્યાપથ એટલે અવરજવર માટેનો માર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy