SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ આપણા જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઇતર પ્રલોભનોમાંથી બચાવવાને માટે પચ્ચક્ખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારો એટલા માટે કહે છે કે પચ્ચક્ખાણ વિના સુગતિ નથી, મોક્ષ નથી. જો પચ્ચક્ખાણની આવશ્યકતા ન હોય તો નિગોદના જીવો સીધા મોક્ષે જાય. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતો : ‘હે ભગવાન ! પચ્ચક્ખાણનું ફળ શું ?' ભગવાને કહ્યું, ‘હે ગૌતમ ! પચ્ચક્ખાણનું ફળ સંયમ છે.’ सेणं । पच्चख्खाणे किं फले । ગોયમા संजमे નેે પચ્ચખાણ ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : पचख्खाणेण आसवदाराइं निरुंभइ । पचख्खाणेण इच्छानिरोहं जणयई । એટલે કે પ્રત્યાખ્યાનથી આશ્રવદ્વારો એટલે કે પાપનાં દ્વારો બંધ થાય છે અને ઇચ્છાનિરોધ અથવા તૃષ્ણાનિરોધ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવાં તેને ‘સંવર’ કહે છે. પચ્ચક્ખાણ એટલા માટે સંવરરૂપ ધર્મ ગણાય છે. જૈન ધર્મમાં આરાધક માટે રોજેરોજ કવાયોગ્ય એવાં છ આવશ્યક કર્તવ્યો ગણાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચઉવીસત્યો (ચોવીસ તીર્થંકરોની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. આમાં પચ્ચક્ખાણને પણ રોજની અવશ્ય કરવાયોગ્ય ક્રિયા તરીકે ગણાવવામાં આવ્યું છે. ‘આવશ્યક'ની શુદ્ધિથી દર્શનની શુદ્ધિ, એથી ચારિત્રની શુદ્ધિ, એથી ધ્યાનની શુદ્ધિ થતાં કર્મનો ક્ષય કરી જીવ પરંપરાએ સિદ્ધગતિ પામે છે. જીવન હમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, પાપાચરણથી અટકે અને સદાચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવારૂપ નિયમો ગ્રહણ કરવા જોઈએ. આરંભમાં માણસ પોતાની શક્તિ અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમો ગ્રહણ કરે કે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટ વિના સ્વયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય વીતતો જાય, વધુ અને વધુ મહાવરો અથવા અભ્યાસ થતો જાય તેમ તેમ માણસ તેના નિયમોનો સંક્ષેપ કરતો જાય અને શક્તિ વધતાં વધુ કઠિન નિયમો પણ ગ્રહણ કરવા લાગે. આ દૃષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષાની નાની-મોટી તમામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy