SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર પપ પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વાચનમાં ત્રિશલા માતાનાં ચૌદ મહાસ્વપ્ન અને ભગવાન મહાવીર સ્વામીના જન્મ વિશેનું લખાણ જે દિવસે વંચાય છે તે દિવસ “મહાવીર જયંતી' (મહાવીર જન્મકલ્યાણક વાચન દિન) તરીકે ઊજવાય છે. તે દિવસે સુપન (સ્વખ) ઉતારવાની અને જન્મવધાઈનો ઉત્સવ ઊજવવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. કલ્પસૂત્ર એક એવો અપૂર્વ ગ્રંથ છે કે જેના ઉપર સમયે સમયે પૂર્વાચાર્યોને સવિસ્તર ટીકા કે વિવરણ લખવાનું મન થયું છે. હજારો શ્લોક એના ઉપર વિવરણરૂપે લખાયા છે જે કલ્પસૂત્રની મૂલ્યવત્તા દર્શાવે છે. એના ઉપર લખાયેલા સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથોમાંના કેટલાક નીચે મુજબ છે : (૧) કલ્પપંજિકા (જિનપ્રભસૂરિકત – વિ. સં. ૧૩૬૪; શ્લોકસંખ્યા ૨૫૦૦). (૨) કલ્પકિરણાવલિ (ઉપાધ્યાય ધર્મસાગરકૃત – વિ. સં. ૧૯૨૮; શ્લોકસંખ્યા ૪૮૧૪) (૩) કલ્પદીપિકા (પંન્યાસ જયવિજયકત - વિ.સં. ૧૯૭૭; શ્લોકસંખ્યા ૩૪૩૨) (૪) કલ્પપ્રદીપિકા (પંન્યાસ સંઘવિજયકૃત – વિ. સં. ૧૯૮૧; શ્લોકસંખ્યા ૩૫૦) (૫) કલ્પસુબોધિકા (ઉપાધ્યાય વિનયવિજયજીકૃત – વિ. સં. ૧૬૯૬) (૯) કલ્પકૌમુદી (ઉપાધ્યાય શાંતિસાગરકૃત – વિ. સં. ૧૭૦૭; શ્લોકસંખ્યા ૩૭૦૭) (૭) કલ્પલતા (ઉપાધ્યાય સમયસુંદરકૃત – વિ. સં. ૧૬૮૫; શ્લોકસંખ્યા ૭૭૦૦). કલ્પસૂત્ર ઉપર આ ઉપરાંત બીજી પણ સંખ્યાબંધ ટીકાઓ મળે છે. વર્તમાન સમયમાં દુનિયાની ઘણી ભાષાઓમાં કલ્પસૂત્રનાં ભાષાંતરો થયાં છે. જર્મનીના ડૉ. હર્મન જે કોબીએ કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યો ત્યારથી પાશ્ચાત્ય વિદ્વાનોમાં કલ્પસૂત્રનું નામ વિશેષ જાણીતું થયેલું છે. કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાનભંડારમાં પધરાવવાનું કાર્ય અત્યંત પવિત્ર મનાતું આવ્યું છે. એથી કલ્પસૂત્રની ઘણી હસ્તપ્રતો મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy