SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ફિરકાભેદે ફરક છે. તો પણ તેનો આશય સમાન રહ્યો છે. કોઈ પણ ક્રિયાવિધિના આરંભમાં નવકારમંત્ર પછી ઇરિયાવહી સૂત્ર બોલાય છે. દોષોની ક્ષમાપના માટેનું એ સૂત્ર છે. જ્યાં સુધી ઇરિયાવહી દ્વારા, દોષોની ક્ષમાપના દ્વારા શુદ્ધિ થતી નથી ત્યાં સુધી ધાર્મિક ક્રિયા કે વિધિ બહુ ફળ આપતી નથી. ઇરિયાવહી સાથે લોગસ્સનો કાઉસગ્ગ અવશ્ય જોડાયેલો હોય છે. એથી દર્શન-વિશુદ્ધિનો લાભ થાય છે. સામાયિકનું સૌથી મહત્ત્વનું સૂત્ર તે ‘કરેમિ ભત્તે સમાઇયં' છે. એ સામાયિક માટેની પ્રતિજ્ઞાનું સૂત્ર છે સમાયિકનો આધાર આ પ્રતિજ્ઞા સૂત્ર ઉપર છે. તીર્થંક૨ ૫૨માત્મા જ્યારે પંચમુષ્ટિએ લોચ કરી સ્વયં દીક્ષિત થાય છે ત્યારે સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લે છે. ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લીધી ત્યારે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી ‘કરેમિ સામાઇયં, સર્વાં મે અકરણિજ્યું પાવકમ્મ' એ પ્રમાણે ઉચ્ચરી પ્રતિજ્ઞા લીધી હતી. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે ‘કરેમિ ભત્તે સામાઇયં’ની પ્રતિજ્ઞા ત્રિવિધ ત્રિવિધ એટલે કે નવ કોટિએ લે છે. ગૃહસ્થો જ્યારે બે ઘડીનું સામાયિક કરે છે ત્યારે ‘કરેમિ ભત્તે' સૂત્ર બોલીને છ કોટિએ પચ્ચક્ખાણ લે છે. એટલા માટે સાધુ ભગવંતોના ‘કરેમિ ભન્તે'માં અને ગૃહસ્થોના ‘કરેમિ ભન્નેમાં કેટલાક શબ્દો જુદા જોવા મળશે. આ શબ્દો ઘણા મહત્ત્વના અર્થસભર અને સૂચક છે. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે ‘કરેમિ ભત્તે' ઉચ્ચરે છે. તેઓ યાવજ્જીવન સામાયિક સ્વીકારે છે. ગૃહસ્થોનું સામાયિક નિયમાનુસાર એટલે કે બે ઘડીનું હોય છે. આથી સાધુ ભગવંતોએ સર્વ પ્રકારના સાવઘ યોગનાં પચ્ચક્ખાણ લેવાનાં હોય છે. એટલે તેમના ‘કરેમિ ભન્તે'માં ‘સર્વાં' અને ‘જાવજીવાય' શબ્દો આવે છે. ગૃહસ્થોના જીવનમાં આરંભ સમારંભ ચાલુ હોય છે, એટલે તેઓ બે ઘડી માટે સાવઘ યોગનાં પચ્ચક્ખાણ લે છે. સાધુ ભગવંતોને ગૃહસ્થજીવનની, આજીવિકાની કે અન્ય સાંસારિક જવાબદારીઓ હોતી નથી. સર્વ સાંસારિક સંબંધોથી તેઓ નિવૃત્ત થઈ ગયા હોય છે. એટલે તેઓ ત્રણ કરણ (કરવું, કરાવવું, અનુમોદવું) અને ત્રણે યોગ(મન, વચન, કાયા)થી પચ્ચક્ખાણ લે છે. ગૃહસ્થને જવાબદારીઓ હોવાથી, આજીવિકા તથા સાંસારિક કાર્યોમાં મમત્વનો ભાવ રહેવાથી તેઓ બે કરણ ને ત્રણ યોગથી પચ્ચક્ખાણ લેતા હોય છે. મન, વચન Jain Education International ૪૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy