SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ જિનતત્ત્વ (૩) તસ ભંતે.... ગુરુને વંદન કરવાપૂર્વક નિંદા, ગહ કરવાની હોય માટે એમાં ‘વંદન' છે. (૪) પડિક્કમામિ... પાપોની નિંદા, ગર્હા અને તેમાંથી પાછા ફરવાની ક્રિયા. એમાં ‘પ્રતિક્રમણ' છે. (૫) અપ્પાણં વોસિરામિ.... પાપોથી મલિન થયેલા આત્માને વોસિરાવું છું. એમાં ‘કાયોત્સર્ગ છે.’ (૬) સાવજ્યું જોગં પચ્ચક્ખામિ.... એમાં સાવધ યોગનાં ‘પચ્ચક્ખાણ’ છે. આમ, સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચક્ખાણ એ છયે આવશ્યક કર્તવ્ય ‘કરેમિ ભંતે’ સૂત્રમાં રહેલાં છે. આ છયે પ્રકારની આવશ્યક ક્રિયાઓથી જીવને શો શો લાભ થાય છે તે વિશે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ભગવાને તેના સંક્ષેપમાં ઉત્તર આપ્યા છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૨૯મા અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઃ सामाइएणं भन्ते जीवे किं जणयइ ? [સામાયિક કરવાથી હે ભગાવન ! જીવને શો લાભ થાય છે ?! ભગવાન ઉત્તર આપે છે : सामाइएणं सावज्जजोगविरइं जणयइ । [સામાયિક કરવાથી જીવ સાવધ યોગથી વિરતિ પામે છે. આમ, સામાયિક કરવાથી, એક આસન ઉપ૨ નિશ્ચિત કાળ માટે પ્રતિજ્ઞાપૂર્વક બેસવાથી કાયાની અન્ય પ્રવૃત્તિઓથી આરાધક નિવૃત્ત થાય છે. ત્યાર પછી મન અને વાણીને સ્થિર કરીને આત્માના ઉપયોગમાં જેટલે અંશે પોતાના ચિત્તને જોડી શકે છે તેટલે અંશે તે સાવઘ (પાપરૂપ) યોગોમાંથી નિવૃત્ત થાય છે. આ રીતે પ્રાથમિક લાભની દૃષ્ટિએ જોઈએ તો સામાયિક નવાં પાપરૂપ કર્મોને અટકાવવાનું પ્રબળ સાધન બને છે. શ્રી હરિભદ્રસૂરિએ ‘અષ્ટક પ્રકરણ’માં સામાયિકને મોક્ષાંગ તરીકે એટલે કે મોક્ષના અંગ તરીકે ઓળખાવ્યું છે : Jain Education International सामायिकं च मोक्षांगं परं सर्वज्ञ भाषितम् । वासी चन्दन कल्पानामुक्तमेतन्महात्मानाम् ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy