SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ જિનતત્ત્વ ઉપાધ્યાય ભગવંતો જ કરતા હોય છે. વ્યવહારમાં ઉપાધ્યાય નામધારી બધા જ ઉપાધ્યાયો એકસરખી કોટિના ન હોઈ શકે, પરંતુ જૈનદર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે અને એમના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તે જોતાં નવકારમંત્રમાં ઉપાધ્યાય-વિજ્રાય ભગવંતને જે નમસ્કાર કરવામાં આવે છે તેની યથાર્થતાની સર્વથા સઘપ્રતીતિ થયા વગર રહેશે નહિ. શ્રુતજ્ઞાનના ધારક ઉપાધ્યાય ભગવંત ન હોય તો મોક્ષમાર્ગ ઝડપથી લુપ્ત થઈ જાય. એટલા માટે જ અનાદિ સિદ્ધ નવકારમંત્રમાં “નમો વિઝાયાણં' પદનું એટલું જ મહત્ત્વ રહેલું છે. ઉપાધ્યાય (અર્ધમાગધીમાં વિઝાય) શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવા મળે છે : उत्पेत्य अधीयतेऽस्मात्। [જેમની પાસે જઈને અધ્યયન કરવામાં આવે છે તે ઉપાધ્યાય) उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो-लाभो भवति येभ्यस्ते उपाध्यायाः । જેિમની પાસે રહેવાથી શ્રુતનો આય (લાભ) થાય છે તે ઉપાધ્યાય.) હેમચંદ્રાચાર્ય “અભિધાનચિંતામણિમાં કહે છે : उपाध्यायस्तु पाठकः। [જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः। જેમની પાસે અધિક વાર જવાનું થાય તે ઉપાધ્યાય.] स्मर्यते सत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायाः। [જેમની પાસે જિન પ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy