SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ નવકારમંત્રની શાશ્વતતા છે, પાણી નીચાણમાં વહે છે, નદીઓ પર્વતોમાંથી નીકળી નીચે વહેતી વહેતી સમુદ્રને મળે છે. પ્રકૃતિમાં જેમ નમવાની ક્રિયા છે તેમ સ્વેચ્છાએ ભાવપૂર્વક નમવું એવી ક્રિયા જુદી જુદી કોટિના જીવોમાં પણ જોવા મળે છે. પશુપંખીઓમાં પણ પોતાના સંતોષ કે આનંદને વ્યક્ત કરવા માટે, પોતના ઉપર થયેલા ઉપકારના સ્વીકારનો ભાવ વ્યક્ત કરવા માટે કોઈક શારીરિક કે વાચિક ક્રિયા થાય છે. મનુષ્યનું ઉત્તમાંગ તે એનું મસ્તક છે. પોતાના ભાવો દર્શાવવા માટે, જેમ કે હા-ના, સ્વીકાર-અસ્વીકાર, સંતોષઅસંતોષ ઇત્યાદિ ભાવો દર્શાવવા માટે મસ્તકના હલનચલનની ક્રિયા કુદરતી રીતે થઈ જાય છે. સ્વીકાર માટે, વડીલો કે ગુરુજનો પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવા માટે, પોતે ઉપકત થયા છે એવો ભાવ બતાવવા માટે મસ્તક નમાવવાની ક્યિા આદિ કાળથી કે અનાદિ કાળથી ચાલી આવી છે. એવી ક્રિયા અમુક કાળ પછી બંધ થઈ જશે એમ કહી શકાય નહિ. આમ વિશ્વમાં નમન કરવાની ક્રિયાનું નિયત્વ, સાતત્ય જોવા મળે છે. એટલા માટે નમસ્કારની સ્કૂલ ક્રિયા વિશ્વમાં શાશ્વત છે એમ કહી શકાય. ક્યારેક મનમાં નમવાનો ભાવ ન હોય પણ ઔપચારિકતા ખાતર, વિવેક ખાતર, દેખાદેખીથી, સ્વાર્થના પ્રયોજનથી નમવું પડે છે. એવો પૂલ નમસ્કાર તે માત્ર દ્રવ્ય નમસ્કાર છે. ક્યારેક મનમાં નમવાનો ભાવ સહજ સાચો હોય પણ શારીરિક કે સંજોગોની પ્રતિકૂળતાને કારણે અથવા સહજ તેવી સ્થિતિને કારણે તેમ થઈ શકતું નથી. એવો નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર નહિ પણ માત્ર ભાવ નમસ્કાર છે. નમસ્કારના આ રીતે ત્રણે પ્રકાર જોવા મળે છે : (૧) માત્ર દ્રવ્ય નમસ્કાર, (૨) ભાવસહિત દ્રવ્ય નમસ્કાર અને (૩) માત્ર ભાવ નમસ્કાર. એ ત્રણે પ્રકારના નમસ્કાર સંસારમાં સતત જોવા મળતા રહે છે. આમ નમન કરવાની ક્રિયા વિશ્વમાં અનાદિ કાળથી છે, તે નિત્ય છે અને શાશ્વત છે. નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે કોઈ કદાચ પ્રશ્ન કરે કે નમવાની ક્રિયા આ વિશ્વમાં અનાદિ કાળથી ચાલી આવે છે એ સાચું, પરંતુ અરિહંત, સિદ્ધ વગેરે પચંપરમેષ્ઠિ અનાદિ કાળથી ન હો તો પછી નમવાની ક્રિયાનું કે નવકારમંત્રનું કોઈ પ્રયોજન રહેતું નથી. એના ઉત્તરમાં શાસ્ત્રકારો પંચપરમેષ્ઠિની શાશ્વતતા તો સમજાવે છે, પરંતુ તે પહેલાં જે વડે આ વિશ્વ બનેલું છે એ મૂળભૂત દ્રવ્યોની નિત્યતા પણ સમજાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy