SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ જિનતત્ત્વ વર્તુળ તપનું છે. ત્રણ વર્તુળ પૂરાં થાય તે પછીના અડધા વર્તુળમાં નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એ ત્રણ તીર્થકરોનું ધ્યાન ધરવાનું છે. એ ત્રણ તીર્થકરોનાં જીવનનું અવલોકન કરીએ તો તેમાં બાહ્ય અને આત્યંતર તપની મહત્તા સવિશેષ જણાશે. તપનું વર્તુળ અડધું જ છે, કારણ કે તપમાં વ્યક્તિએ પોતે જ પોતાના પુરુષાર્થ વડે આગળ વધવાનું છે. લોગસ્સની અનુષ્ઠાનપૂર્વકની આરાધના પણ કરવામાં આવે છે. શુદ્ધ વસ્ત્ર, આસન વગેરે સાથે, ધૂપ, દીપ, પુષ્પ, વાસક્ષેપ વગેરે સાથે ચોવીસ તીર્થંકરનું ચિત્રપટ સન્મુખ રાખી લોગસ્સનું પઠન નિયત સમય માટે કરવાથી વિશેષ લાભ થાય છે. ચોવીસ તીર્થકરોની સ્તુતિ માટે પંચષષ્ઠી(પાંસઠિયો) યંત્રની રચના કરવામાં આવે છે. આડી અને ઊભી લીટીઓ દોરી પચ્ચીસ ખાનાંનું સમચોરસ યંત્ર બનાવવામાં આવે છે. અને તેમાં ૧ થી ૨૫ ના સંખ્યાંક એવી રીતે લખવામાં આવે છે કે ગમે તે બાજુથી સરવાળો કરતાં ૬૫ની સંખ્યા જ આવે. જુદી જુદી રીતે સંખ્યા ગોઠવી ઘણા પ્રકારનાં આવાં પાંઠિયા યંત્રો બનાવવામાં આવે છે. આમાં મહાસર્વતોભદ્ર યંત્રમાં સંખ્યા એવી રીતે ગોઠવવામાં આવે છે કે બોંતેર જુદી જુદી રીતે ગણના કરતાં સરવાળો કુપનો જ આવે છે. આ યંત્રોમાં પ્રત્યેક સંખ્યાંક સાથે તે તીર્થંકરનું સ્મરણ–રટણ કરવામાં આવે છે અને ૨૫ના સંખ્યાંકમાં શ્રીસંઘને પ્રણામ કરવામાં આવે છે. લોગસ્સ સૂત્રની પ્રત્યેક ગાથા સાથે આરંભમાં જુદાં જુદાં મંત્ર બીજો જોડીને તથા છેડે પ્રાર્થના–વાચના જોડીને તેના એક કલ્પની રચના કરવામાં આવી છે, જે પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. આ રીતે સાત ગાથાનાં સાત મંડલ બનાવવામાં આવ્યાં છે અને પ્રત્યેક મંત્રનો બ્રહ્મચર્યના પાલનપૂર્વક, દેહશુદ્ધિ તથા વસ્ત્રશુદ્ધિ સાથે, પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં મુખ રાખીને કાઉસગ્ન અવસ્થામાં બેસીને રોજ ૧૦0૮ વાર અથવા તેની વિધિમાં દર્શાવ્યા પ્રમાણે, તેટલા દિવસ સુધી જાપ કરવામાં આવે તો ઇષ્ટફલની પ્રાપ્તિ કરાવનાર તે નીવડે છે. એ મંત્રો નીચે પ્રમાણે છે : પહેલી ગાથા - ॐ ह्री श्री ऐं लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली मम मनोऽभीष्टं कुरु कुरु स्वाहा । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy