SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ જિનતત્ત્વ કર્મોનો એવી રીતે ક્ષય થાય છે કે ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. સ્તુતિ કરનાર મોક્ષપદની પ્રાપ્તિ અને તે માટેની સામગ્રી માગી લે છે. એટલે તેમાં કશું અનૌચિત્ય નથી. આવી માગણીથી નિયાણું બંધાય માટે તે ન બાંધવું જોઈએ એ અપેક્ષા પણ બરાબર નથી, કારણ કે મુમુક્ષુ આત્માઓએ તીર્થંકરની સ્તુતિ અને પ્રાર્થના, આવશ્યક કર્તવ્ય તરીકે વારંવાર કરવી જોઈએ એમ શાસ્ત્રકારોએ પૂરા સ્પષ્ટીકરણ સાથે ફરમાવ્યું છે. લોગસ્સ સૂત્ર આવશ્યક સૂત્રમાં આવે છે. આ સૂત્ર ગણધરરિચત મનાય છે. એમાં એ સુત્રનું નામ એના કર્તાએ દર્શાવ્યું નથી. એથી પછીના સમયમાં ટીકા, ભાષ્ય, વિવરણ વગેરે પ્રકારના ગ્રંથોમાં લોગસ્સના વિષયને અનુરૂપ એવા પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં પર્યાયવાચક નામો પ્રયોજાયાં છે. લોગસ્સમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ આવતી હોવાથી ચહેવીસત્યય, ચઉવીસઇન્થય અને ચતુર્વિશતિસ્તવ નામો વપરાયાં છે. ચોવીસની સ્તુતિ એટલે કોની સ્તુતિ એવો પ્રશ્ન થાય. એટલે ચકવીસ જિણસ્થય અને ચતુર્વિશતિજિનસ્તવ જેવાં નામો પણ વપરાયાં છે. આ ઉપરાંત નામસ્તવ, નામય, નામજિસત્યય તથા ઉજ્જો, ઉજ્જઅગર, ઉજ્જોયગર જેવાં નામો પણ પ્રયોજાયાં છે. આમ લોગસ્સ સૂત્ર માટે વિવિધ નામો પ્રયોજાયાં છે. તેમ છતાં આજ સુધી લોગસ્સ'ના નામથી જ તે સૂત્ર વિશેષ પ્રચલિત રહ્યું છે. કેટલાંક સૂત્રોનાં નામ એના વિષયને અનુરૂપ ગુણનિષ્પન્ન હોય છે. લોગસ્સમાં તીર્થકરોનું ગુણોત્કીર્તન છે. આ સૂત્રમાં પ્રથમ શબ્દ નો છે. એટલે પ્રથમ શબ્દ ઉપરથી આ સૂત્રને “લોગસ્સ સૂત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રના વિષયને અનુરૂપ ચતુર્વિશતિસ્તવ, ચઉવિસત્યો, નામસ્તવ ઇત્યાદિ નામો હોવા છતાં તે “લોગસ્સ”ના નામથી વિશેષ પ્રચલિત છે. સૂત્ર, કવિતા, ગ્રંથ ઇત્યાદિના નામ તેના વિષય પ્રમાણે, તેના ગુણલક્ષણ પ્રમાણે આપવાનો રિવાજ છે, પરંતુ એક જ વિષય ઉપર ઘણીબધી કૃતિઓ હોય ત્યારે તે ઉપરથી અપાયેલાં નામો એકસરખાં થઈ જવાનો અને તેથી તેમાં ગોટાળો થવાનો સંભવ રહે છે. પરંતુ કતિને તેના પ્રથમ શબ્દથી જો ઓળખવામાં આવે તો એક જ વિષય ઉપર ઘણી બધી કૃતિઓ હોવા છતાં તેમાં ગોટાળો થવાનો સંભવ રહેતો નથી. આથી જ પ્રાચીન કાળથી, વિશેષત: જૈન પરંપરામાં અનેક કૃતિઓ તેના આદ્ય શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy