SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ લોગસ્સ સૂત્રનો પ્રત્યેક શબ્દ સપ્રયોજન અને અર્થગર્ભિત છે. આ સૂત્રમાં તીર્થંકરોની સ્તુતિ હોવાને કારણે તીર્થંકરોનાં ગુણલક્ષણરૂપ મહત્ત્વના શબ્દો એમાં ગૂંથી લીધા છે, જેમ કે (૧) લોગસ્સ ઉજ્જોઅગર પદ્રવ્યાત્માક ચૌદ રાજલોકના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશનારા અથવા પંચાસ્તિકાયરૂપી લોકનો કેવળજ્ઞાનરૂપી ભાવોદ્યોત વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા. (૨) ધમ્મતિત્થયર ધર્મરૂપી તીર્થ પ્રવર્તાવી ભવસાગરમાં ડૂબતા જીવોને તારનારા, તથા સમવસરણમાં બિરાજમાન થઈ અતિશયયુક્ત વાણી દ્વારા અપૂર્વ દેશના આપી જીવોને સન્માર્ગે વાળનારા તથા ચતુર્વિધ સંધની સ્થાપના કરી શાસન પ્રવર્તાવનારા. (૩) જિન – રાગ અને દ્વેષને જીતનારા, ચાર ધાતી કર્મોનો નાશ કરનારા. (૪) અરિહંત – અરિ એટલે શત્રુ. ઇન્દ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, ઉપસર્ગો ઇત્યાદિ રૂપ અરિ અથવા કર્મ રૂપી અરિને હણનારા તે અરિહંત. અરિહંત શબ્દ અર્હત્ શબ્દ ઉપરથી હોય તો વંદન, પૂજન, સત્કારને યોગ્ય, તથા સિદ્ધગમનને જે યોગ્ય છે, જેઓ અષ્ટ મહાપ્રાતિહાર્યથી અને અતિશયોથી યુક્ત છે તે અરિહંત. (૫) કેવલી – જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેઓ કેવળજ્ઞાન દ્વારા પંચાસ્તિકાયાત્મક સંપૂર્ણ લોકને પ્રકાશનારા છે. (૬) વિઠ્ઠય-રય-મલા – રજ એટલે ધૂળ અને મલ એટલે મેલ. ૨૪ અને મલ એટલે કર્મરૂપી કચરો, એ જેમણે ખંખેરી નાખ્યો છે, સાફ કરી નાખ્યો છે, તે. રજ એટલે બંધાતું કર્મ અને મલ એટલે બંધાયેલું કર્મ અથવા ૨૪ એટલે બંધાયેલું કર્મ અને મલ એટલે નિકાચિત કર્મ. (૭) પહીણજ૨મરણા જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુ જેમનાં નષ્ટ થઈ ગયાં છે, જેઓ સિદ્ધ થઈ ગયા છે. (૮) જિણવરા – જિનવરો. (૯) તિત્ફયરા તીર્થંકરો. (૧૦) લોગસ્સ ઉત્તમા પ્રાણીલોક તથા સુર- અસુર લોકમાં જે ઉત્કૃષ્ટ છે. (૧૧) સિદ્ધા – સિદ્ધગતિને, શિવગતિને, મોક્ષગતિને પામેલા. (૧૨) ચંદેસુ નિમ્મલયરા – જેઓ અનેક ચંદ્રો કરતાં વધુ નિર્મળ છે. (૧૩) આઇએસુ અહિયં પયાસય૨ા – જેઓ અનેક આદિત્યો એટલે કે સૂર્ય કરતાં વધુ પ્રકાશનારા છે. (૧૪) સાગરવરગંભીરા જેઓ શ્રેષ્ઠતમ સાગર અર્થાત્ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા અથવા તેથી વધુ ગંભીર છે. (૧૫) સિદ્ધા – મોક્ષગતિને પામેલા. ૩૫૮ – Jain Education International - - આમ લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરોનાં નામ સૂત્રશૈલીએ અને મંત્રસ્વરૂપે વણી લેવા સાથે તીર્થંકર ૫૨માત્માને માટે વપરાતા વિવિધ શબ્દો - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy