SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જિનતત્ત્વ દિગમ્બર પરંપરાના ૪૮ શ્લોકના ‘ભક્તામરસ્તોત્ર'માં દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યનું નીચે પ્રમાણે વર્ણન થયું છે 1: स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टसद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः । दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्वभाषास्वभावपरिणामगुणप्रयोज्यः ।। [સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં ઇષ્ટ મિત્ર, સદ્ધર્મ અને સસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લોકમાં ચતુર તથા નિર્મળ અર્થ અને સમસ્ત ભાષાસ્વભાવ-પરિણામાદિ ગુણોથી યુક્ત આપનો દિવ્ય ધ્વનિ થાય છે.] ‘વીતરાગસ્તવ’ના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાર્યે ‘દિવ્ય ધ્વનિ'નો મહિમા વર્ણવતાં લખ્યું છે : मालवकैशिकी मुख्यग्रामरागपवित्रितः । तव दिव्यो ध्वनिः पीतो हर्षोद्ग्रीवैर्मृगैरपि ।। [માલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા આપના દિવ્ય ધ્વનિનું હર્ષ વડે ઊંચી ગ્રીવાવાળાં બનેલાં હરણાંઓ દ્વારા પણ પાન થાય છે.] દિવ્ય ધ્વનિ વિશે ‘વીતરાગસ્તવ’ની ટીકામાં કહ્યું છે : तथा धर्मोपदेशावसरे हि भगवान् स्वभावसुभगंभविष्णुना श्रोतृजनश्रोत्रपुटप्रविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विधत्ते, किन्तु वृत्तिंकृत इव सूत्रं, सुरास्तमेव स्वरमायोजनं विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते । ધર્મનો ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિવરોમાં પેસતા અમૃતની નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તારે છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હોવાથી તે અપેક્ષાએ દિવ્ય ધ્વનિ કહેવાય છે.] વળી, ‘વીતરાગસ્તવ'ની અવસૂરિમાં દિવ્ય ધ્વનિનું સવિસ્તર વર્ણન કરતાં કહેવાયું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy