SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રનું પદાર સ્વરૂપ ૩૨૫ આટલો બધો પ્રભાવ પડતો હોય છે તો મહાત્માઓમાં પણ જે મહાત્મા ગણાતા હોય તેવા સાધક મનીષી મહાપુરુષોએ વિશિષ્ટ, ઉચ્ચ, કલ્યાણકારી પ્રયોજનપૂર્વક અક્ષરોનું ઉચ્ચારણ કર્યું હોય તો તે અક્ષરોનું મૂલ્ય કેટલું બધું વધી જાય! એવા અક્ષરો સંખ્યામાં ઝાઝા નથી હોતા, પણ તેની શક્તિ અદ્ભુત હોય છે. એ અક્ષરો મંત્રરૂપ બની જાય છે. અર્થની અપેક્ષા વગર પણ એ અક્ષરોનું ઉચ્ચારણ સમર્થ અને શક્તિસ્વરૂપ હોય છે. એ અક્ષરોના ધ્વનિતરંગોમાં રહેલા અકળ સામર્થ્યને કારણે જ તે મંત્રરૂપ બની જાય છે. મંત્રવિદ્યા એ એક ગૂઢ વિદ્યા ગણાય છે. મંત્રમાં એટલા માટે અક્ષરોનું ઘણું મહત્ત્વ છે. એટલા માટે જ કહેવાય છે કે નિર્વાનમાં નાતિ અથવા નાજ્યનાં મંત્રમ – એટલે કે નિબજ (મંત્રશક્તિરહિત) એવો કોઈ અસર નથી અને અસરરહિત કોઈ મંત્ર નથી. આમ, શબ્દના અર્થનું કે ભાવનું મહત્ત્વ સ્વીકારાયું છે. મંત્રાલરોમાં તદુપરાંત જો ભાવની વિશદ્ધિ પણ વણાઈ જાય તો પછી તેની શક્તિની તો વાત જ શી કરવી! નવકારમંત્ર એ મંત્ર છે. આપણે જોયું તેમ, મંત્રમાં અક્ષરનું ઘણું મહત્ત્વ હોય છે. સામાન્ય લખાણ કે વાતચીતમાં માત્ર અક્ષરનો જ નહિ, શબ્દોનો પણ વિસ્તાર હોય છે. મંત્ર અક્ષરની દૃષ્ટિએ સઘન હોય છે. પ્રત્યેક અક્ષરનું વિશિષ્ટ પ્રયોજન અને મહત્ત્વ હોય છે. મંત્રમાં અક્ષરનો અનાવશ્યક ઉપયોગ ન હોય. મંત્રના અવરોને વેડફી નાખી શકાય નહિ, કારણ કે એથી મંત્રની શક્તિ ઘટે છે અને કાર્યસિદ્ધિમાં વિલંબ થાય છે અથવા તે નિષ્ફળ નીવડે છે. એટલા માટે અલરને મંત્રદેવતાના દેહ તરીકે માનવામાં આવે છે. મંત્રની રચના મંત્રદ્રષ્ટાઓ કરતા હોય છે. તેઓ પ્રત્યેક અક્ષરનાં સ્વરૂપ, ધ્વનિતરંગ, સૂક્ષ્મ રંગ, રહસ્ય, શક્તિ ઇત્યાદિને પોતાના અતીન્દ્રિય અનુભવ દ્વારા જાણતા હોય છે. અને તેથી તેઓ મંત્રમાં પરિણામની દૃષ્ટિએ એટલે કે ઇષ્ટફલની દષ્ટિએ અવરોનું સંયોજન કરે છે. નવકારમંત્ર અનાદિ સિદ્ધ મનાયો છે. તે મંત્ર સ્વરૂપ હોવાને કારણે તેમાં પણ પ્રત્યેક અક્ષરનું મહત્ત્વ સ્વીકારાયું છે. નવકારમંત્રનો એક એક અક્ષર ઘણા બધા અર્થો અને ભાવોથી સભર છે. અક્ષર ઉપરાંત તેના પ્રત્યેક શબ્દમાં પણ ઘણા અર્થો અને ભાવો રહેલા છે. એટલે જ નવકારમંત્રના શબ્દોના અર્થનું વિવરણ કરતા જઈએ અને તે વિવરણનું પણ વિવરણ એમ ઉત્તરોત્તર કરતા જઈએ તો ચૌદ પૂર્વ જેટલું લખાણ થાય. એટલા માટે જ નવકારમંત્રને ચૌદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy