SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ મનુષ્યજન્મની દુર્લભતા चिन्तारतं विकरति कराद् वायसोड्डाय थं, यो दुष्प्राप्यं गमयति मुधा मर्त्यजन्म प्रमत्तः।। [જે માણસ પ્રમાદને વશ થઈ દુષ્માપ્ય એવા મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવી દે છે તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરી રહ્યો છે, અમૃતથી પગ ધોઈ રહ્યો છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભારો ભરી રહ્યો છે અને ચિંતામણિરત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકી રહ્યો છે.] માટે જ કહ્યું છે : તુર્તમ પ્રાપ્ય માનુષ્ય, દારયä મુદ્દેવ ના (પાર્ચચરિત્ર) [દુર્લભ મનુષ્યજન્મ મેળવીને એને વ્યર્થ ગુમાવી ન દેશો.) વળી કહેવાયું છે : दुल्लहं माणुस्सं जन्म लभ्रूण रोहणं व शेरेण। रयणं व धम्मरयणं बुद्धिमया हंदि वित्तव्वं ।। [જેમ દરિદ્ર માણસ રોહણાચલ પર પહોંચીને રત્ન મેળવે છે તેમ દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને બુદ્ધિમાન જીવોએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું જોઈએ.] શ્રી લક્ષ્મીસૂરિએ “ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે ? यः प्राप्य मानुषं जन्मं दुर्लभं भवकोटिभिः। धर्म शर्मकरं कुर्यात् सफलं तस्य जीवितम् ।। [કરોડો ભવ કરવા છતાં પણ જે પામી નથી શકાતો એવો દુર્લભ મનુષ્યભવ પામીને જે જીવ કલ્યાણધર્મ આચરે છે તેનું જીવન સફળ થાય છે.] મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી મનુષ્યગતિની દુર્લભતા પોતાને સમજાય અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા બેસે અને મોક્ષગતિની દુર્લભતા સમજાય એ પણ અત્યંત દુર્લભ વાત છે. અંધશ્રદ્ધા કે ગતાનુગતિક શ્રદ્ધા ઘણી વ્યાપક હોય છે, પરંતુ તત્ત્વનિશ્ચયરૂપ સાચી શ્રદ્ધા ઘણી દુર્લભ છે એટલે જ ભગવાન મહાવીરે કહ્યું છે 3 सद्धा परम दुल्हहा। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy