SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યજન્મની દુર્લભતા ૨૯૫ જીવનું પરમ લક્ષ્ય તે સંસા૨પરિભ્રમણમાંથી મુક્તિ છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ છે. કેવળજ્ઞાન વગર મોક્ષ નથી. કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ શક્ય છે. મનુષ્યગતિ ઉપરાંત બીજી ગતિમાં કેવળજ્ઞાન હોય તો બીજી ગતિના જીવો પણ મનુષ્યગતિ જેવી તુલ્યતા ધરાવી શકે, અને મનુષ્યગતિનું તો પછી બહુ મહત્ત્વ ન રહે. પણ અન્ય ગતિમાં વધુમાં વધુ પ્રથમનાં ત્રણ જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ છે. માટે જ મનુષ્યગતિને મુક્તિના દ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. કેવળજ્ઞાન ફક્ત મનુષ્યગતિમાં જ શા માટે? કારણ કે ઘાતી કર્મોના ક્ષય વિના કેવળજ્ઞાન થાય નહિ અને ઘાતી કર્મોના ક્ષય માટે મહાન ઔષધિરૂપ સર્વવિરતિ (દ્રવ્યથી અને ભાવથી) માત્ર મનુષ્યોને જ હોય છે. દેવતા અને નારકી અવિરતિ હોય છે. તિર્યંચગતિના જીવોને દેશવિરતિ સંભવી શકે છે, પણ સર્વવિરતિ હોતી નથી. એટલે કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ છે. વળી શરીરના ઔદારિક, તેજસ, કાર્મણ અને આહારક જેવા પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાં માત્ર મનુષ્યના ઔદારિક શરીરમાં વજ્રઋષભનારાય સંધયણ, કુંડલિની શક્તિ, મૂલાધાર વગેરે સૂક્ષ્મ શક્તિચક્રો તથા ઉત્કૃષ્ટ ચિત્તશક્તિ ઇત્યાદિ રહેલાં છે, જે આત્મશક્તિને સ્ફુરાયમાન કરી ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સહાયરૂપ બને છે. તિર્યંચગતિના ઔદારિક શરીરમાં આ પ્રકારની શક્તિ હોતી નથી. દેવતા અને નારકીને ઔદારિક શરીર હોતાં નથી. તદુપરાંત આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરે સામાન્ય સંજ્ઞાઓ બધી ગતિના જીવોને હોય છે અને તે કર્મ બંધાવે છે. દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે કે લાંબા ભૂતકાળ વિશે અથવા લાંબા ભવિષ્યકાળ વિશે સ્મૃતિ, કલ્પના, તર્ક વગેરે દ્વારા વિચારવાની શક્તિ દેવતા, નારકી અને મનુષ્યને હોય છે. તિર્યંચગતિના અસંજ્ઞી જીવોને એ સંજ્ઞા હોતી નથી. પરંતુ દેવોને પુણ્ય ભોગવવાનું હોય છે. દેવો તીર્થંકર પરમાત્માનું સમોવસરણ રચી શકે, જિનેશ્વર ભગવાનની ભક્તિ કરી શકે, પણ દીર્ઘકાલિકી સંજ્ઞાનો ઉપયોગ કરીને પોતાના ભૂતકાળનાં ભારે કર્મોનો ક્ષય ન કરી શકે. નારકીના જીવોને સતત દુઃખ ભોગવવાનું હોય છે. સુખદુ:ખ શું છે તે તેઓ સમજી શકે છે, વિચારી શકે છે, વચનયોગથી તે વ્યક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy