SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ જે સાધુ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર્યથી સર્વથા રહિત હોય અને માત્ર વેશધારી સાધુ હોય અને ગૃહસ્થની જેમ વર્તન-વ્યવહાર કર્યા કરે તે ‘સર્વ પાર્શ્વસ્થ’. જે સાધુઓ મોટા અધિકારીઓના કે શ્રીમંતોના ઘેરથી આહાર મેળવે અથવા મંગાવે અથવા પોતે અગાઉથી નક્કી કરેલાં ઘરોમાંથી નક્કી કરેલો આહાર મેળવે, અથવા ગૃહસ્થોના જમણવાર વગેરેમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થોની વારંવાર ખુશામત કર્યા કરે, પોતાના સાધુપણાનો ગર્વ કે ઘમંડ કર્યા કરે, તે સાધુને ‘દેશ પાર્શ્વસ્થ’ કહેવામાં આવે છે. ‘દેશ પાર્શ્વસ્થ' સાધુઓ શય્યાતર પિંડ (જેના મકાનમાં વાસ કર્યો હોય તેનો આહાર), અભ્યાદ્ભુત પિંડ (સામેથી લાવેલો આહાર), રાજપિંડ (રાજનો અથવા રાજાના અમુક અધિકારીઓના ઘરનો આહાર), નિત્યપિંડ (‘તમે રોજ જરૂર પધારજો' એવી ગૃહસ્થે પહેલેથી નિમંત્રણા કરી રાખેલા કોઈ એક જ ઘરેથી નિત્ય આહાર લેવો) અને અગ્રપિંડ (અગ્ર એટલે ઉપરનો. ગૃહસ્થે પોતાને માટે આહાર કાઢ્યા પહેલાં જો ગોચરી વહોરવી તે) વિના કારણ ભોગવતા હોય છે. વળી તેઓ કુલનિશ્રાએ વિચરતા હોય છે, એટલે કે પોતાના મનગમતાં કુટુંબોમાંથી જ આહાર લે છે અને વિહાર વગેરેમાં પણ તેમના તરફ્રથી સહાય મેળવવાની વૃત્તિ ધરાવે છે તથા તેઓ સ્થાપનાકુલમાં પ્રવેશ કરે છે એટલે કે પોતાના ગુરુમહારાજની અને પોતાના સમુદાની સવિશેષ ભક્તિ કરનારાં કુટુંબોમાં જ ગોચરી તથા અન્ય પ્રયોજનો માટે વારંવાર જતા હોય છે. ૨૮૭ જે સાધુ પોતાની સાધુ તરીકેની સમાચારી પાળવામાં શિથિલ કે અનુત્સાહી હોય તેવા સાધુને ‘અવન્ન’ (ઓસો) કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : દેશ અવસન્ન’ અને ‘સર્વ અવસન્ન’. પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચાર્ય, તપશ્ચર્યા, આગમન, નિર્ગમન, આસન, શયન વગરેને લગતી દસ પ્રકારની સમાચારી જાણે પોતે વેઠ ઉતારતા હોય તેવી રીતે મન વગર હીનાધિક કરે, અરધીપરધી કરે, ગુરુની આજ્ઞાને કારણે પરાણે કરે તે સાધુને ‘દેશ અવસન્ન' કહેવામાં આવે છે. જે સાધુ ચોમાસા વિના પાટ-પાટલા વાપરે, સંથારાનું પડિલેહણ ન કરે, દિવસે વારંવાર પ્રમાદપૂર્વક શયન કરે, આખો દિવસ સંથારો પાથરેલો રાખે, ‘સ્થાપના ભોજી’ હોય (આહાર રાખી મૂકીને પછીથી ખાય) તથા ‘પ્રાકૃતિકાભોજી' એટલે કે ગૃહસ્થ પાસેથી મનભાવતો આહાર વહોરી લાવીને તેનું ભોજન કરતા હોય તે ‘સર્વ અવસન’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy