SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મરણ જ્ઞાન જાતિસ્મરણ જ્ઞાન એટલે પૂર્વના ભવનું જ્ઞાન. જ્ઞાતિ સંસ્કૃત શબ્દ છે. એનો એક અર્થ થાય છે જન્મ. એનો બીજો એક અર્થ થાય છે પૂર્વેનું (અથવા પૂર્વજન્મનું). જાતિસ્મરણ એટલે કે પૂર્વના કોઈ એક અથવા વધુ જન્મનું એટલે કે ભવનું સ્મરણ થવું તે. જૈન ધર્મમાં આ પ્રકારના સ્મરણને જ્ઞાનના એક પ્રકાર તરીકે ઓળખાવવામાં આવે છે, માટે તેને જાતિસ્મરણ જ્ઞાન' કહેવામાં આવે છે. જાતિસ્મરણ માટે ‘જાતિસ્મર,’ ‘જાતિસ્મૃતિ,’ ‘જાતિસરણ,’ ‘જાઈસર,’ ‘જાઈસ્મર’, ‘જાઈસ્મરણ,’‘જાઈસુમિણ’ વગેરે સંસ્કૃત કે પ્રાકૃત શબ્દો પ્રચલિત છે, અને તેના ઉપરથી ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે કેટલીક અર્વાચીન ભારતીય ભાષાઓમાં જાતિસ્મૃતિ અથવા ‘જાતિસ્મરણ’ શબ્દ પ્રચલિત રહેલો છે. તે નામ તરીકે પણ વપરાય છે અને વિશેષણ તરીકે પણ વપરાય છે. ‘જાતિસ્મરણ’ની નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવે છે : (9) અતીતનન્મવૃત્તાન્તસ્મૃતિઃ । (૨) ખાતિ મરતીતિ નાતિસ્મર (૨) નાતિસ્મરોડનુમુત્તમવસ્મર્તા। (४) जातिस्मरः आभिनिबोधिकज्ञानविशेषः । વર્તમાન સમયમાં જાતિસ્મરણ જ્ઞાન વિશે દુનિયાના ઘણા દેશોમાં અભ્યાસ-સંશોધન થઈ રહ્યાં છે. જાતિસ્મરણ જ્ઞાનનો માનસ-વિજ્ઞાનના વિષયના એક પેટા વિભાગ તરીકે Parapsychologyના વિભાગ તરીકે – ભારતમાં અને ભારત બહાર અનેક દેશોમાં અભ્યાસ ચાલે છે. જુદી જુદી કેટલીક યુનિવર્સિટીઓમાં જાતિસ્મરણ જ્ઞાનના સેંકડો કિસ્સાઓ નોંધાયેલા છે. અલબત્ત, બધા જ કિસ્સાઓમાં કહેવાયેલી બધી જ વાતો સાચી પડી હોય એવું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy