SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ फलं यच्छति दातृभ्यो दानं नात्रास्ति संशयः । फलं तुल्यं ददात्येतदाश्चर्यं त्वनुमोदकम् ।। (ઉપદેશપ્રાસાદ) દાન દાતારને ફળ આપે છે, તેમાં તો કંઈ પણ સંશય નથી; પરંતુ દાતારના જેવું ફળ અનુમોદના કરનારને પણ આપે છે એ આશ્ચર્ય છે. વળી કહેવાયું છે કે : चिरादेकेन दानादिक्लेशैः पुण्यं यदर्जितम् । तस्यानुमोदनाभावात् क्षणादन्यस्तदर्जयेत् ।। એક મનુષ્ય ચિરકાળ સુધી દાનાદિકના ક્લેશ વડે-કષ્ટ વડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્ય બીજો મનુષ્ય એક ક્ષણ વાર તેની અનુમોદના કરવાથી ઉપાર્જન કરે છે. જિનતત્ત્વ દાનનો કેટલો બધો મહિમા છે તે વર્ણવતાં ‘ધર્મ-કલ્પદ્રુમ 'માં કવિએ સરસ કહ્યું છે : Jain Education International दानं दुर्गतिवारणं गुणगणप्रस्तारविस्तारणं, तेजः सन्ततिधारणं कृतविपच्छ्रेणीसमुत्सारणम् । अंहः सन्ततिदारणं भवमहाकूपारनिस्तारणम्, धर्माभ्युन्नति कारणं विजयते श्रेयः सुखाकारणम् ।। દાન દુર્ગતિને નિવા૨ના૨ છે, ગુણના સમૂહને વિસ્તારનાર છે, તેજના સમૂહને ધારણ કરનાર છે, વિપત્તિના સમૂહનો નાશ કરનાર છે, પાપના સમૂહને વિદારનાર છે, ભવરૂપી સમુદ્રમાંથી તા૨ના૨ છે, ધર્મની અભ્યુન્નતિનું કારણ છે અને મોક્ષના સુખને અપાવનાર છે. એવું દાન વિજય પામે છે. આમ, દાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, એનું સ્વરૂપ અત્યંત ગહન છે, એના પ્રકાર અનેક છે અને એનો મહિમા અપાર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy