SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪o જિનતત્ત્વ જગતમાં અભયદાનની ભાવના પ્રસરાવવા અને તેવા પ્રકારનું પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ જન્માવવા માટે માણસે પોતે પહેલાં નિઃશસ્ત્ર થવું જોઈશે અને ભયરહિત બનવું પડશે. આ તો પ્રાથમિક આવશ્યકતા છે. પરંતુ એથી આગળ જઈ અહિંસા, પ્રેમ, કરુણાની ભાવનાને પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરવી જોઈશે. જ્યાં સાચી અહિંસા હોય છે ત્યાં જીવોનો પરસ્પર જાતિગત વેરભાવ હોય તો તે પણ ચાલ્યો જાય છે. અહિંસાની સાથે સાથે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ પાંચ મહાવ્રતોનું પરિપાલન બીજા જીવોને તે તે પ્રકારનું અભયાન આપવા માટે વ્યક્તિને પાત્ર બનાવે છે. મૃત્યુના ભય ઉપરાંત જીવને અન્ય પ્રકારના ભય હોય તો તે પણ દૂર થઈ જાય છે. તીર્થંકર પરમાત્માના સાંનિધ્યમાં જીવને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. એટલે જ તીર્થકર ભગવાન માટે “શસ્તવમાં વપરાયેલાં વિશેષણોમાંનું એક વિશેષણ તે ‘સમયથા” પણ છે. શાંતિનાથ ભગવાન પૂર્વના મેઘરથ રાજાના ભવમાં પક્ષીને બચાવવા પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવે છે એ અભયદાનનું એક ઉત્તમ ઉદાહરણ છે. મહાભારતમાં શિબિરાજાનું પણ તેવું જ ઉદાહરણ છે. નેમિનાથ ભગવાન પોતાના લગ્નના જમણવાર નિમિત્તે એકઠાં કરાયેલાં પશુઓને છોડાવે છે. મેઘકુમાર પૂર્વના હાથીના ભવમાં સસલાને બચાવે છે. ગર્દભિલ્લ મુનિ અને સંયતિ રાજા પણ પશુઓને અભયદાન દેવા માટે પ્રસિદ્ધ છે. અન્ય જીવને બચાવવા જતાં પોતાના પ્રાણનો પણ ભોગ આપ્યાનાં ઉદાહરણો દુનિયામાં જોવા મળે છે. અન્ય જીવો પ્રતિ અંતરમાં સાચી પ્રીતિ અને કહ્યા વગર એમ બની શકે નહિ. અભયદાનનો હિન્દુ ધર્મમાં પણ એટલો જ મહિમા દર્શાવાયો છે. નીચેના કેટલાક શ્લોક પરથી તે જણાશે : वरमेकस्य सत्त्वस्य दत्ता ह्यभयदक्षिणा। न तु विप्रेसहस्त्रेभ्यो गोसहस्रमलकृतम।। હજારો બ્રાહ્મણોને અલંકારો વડે શણગારેલી ગાયો દાનમાં આપવી તેના કરતાં એક જ પ્રાણીને અભયરૂપી દક્ષિણા આપવી તે વધુ ઉત્તમ છે. વળી કહ્યું છે : जीवानां रक्षणं श्रेष्ठं, जीवा जीवितकाक्षिणः। तस्मात्समस्तदानेभ्योऽभयदानं (માર્કંડેયપુરાણ) રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy