SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ પ્રતિક્રમણની મૂળભૂત ભાવનાયુક્ત પરંપરા જૈનોના તમામ ફિરકાઓમાં અદ્યાપિ પર્યંત જળવાઈ રહી છે, તો પણ તેની ક્રિયાવિધિમાં થોડાક ફેરફારો થયેલા છે, કારણ કે કોઈ પણ સમાચારી સર્વકાલ અને સર્વ સ્થળ વિશે એકસરખી ટકે નહિ. ૨૨૪ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાની ક્રિયાવિધિમાં ફરક છે. શ્વેતામ્બરમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથીના પ્રતિક્રમણમાં પણ કેટલાક ફેરફારો થયેલા છે. મૂર્તિપૂજકમાં પણ તપગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્શ્વચંદ્રગચ્છની પ્રતિક્રમણની વિધિમાં પણ થોડો થોડો ફેર છે. સમયે સમયે આવા થોડા ફેરફારો તો થતા રહ્યા છે અને થતા ૨હેવાના. તેમ છતાં પ્રતિક્રમણના મૂળભૂત ઉદ્દેશ અને મહત્ત્વની ક્રિયા વિશે જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી પ્રતિક્રમણની પરંપરા ચાલ્યા કરશે. દૈવસિક ને રાત્રિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં વધારે પુરુષાર્થની અપેક્ષા હોવાથી તેમાં કેટલાંક સૂત્રો અને મોટા કાઉસગ્ગનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. પાક્ષિકમાં બાર લોગ્ડમ્સ, ચાતુર્માસિકમાં ૨૦ લોગ્ડસ અને સાંવત્સરિકમાં એક નવકારસહિત ૪૦ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનું શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં ફરમાવવામાં આવ્યું છે. દિગમ્બર પરંપરામાં શ્વાસોચ્છ્વાસ પ્રમાણ નવકારમંત્રનો કાઉસગ્ગ કરાય છે. દિગમ્બરોમાં દૈવસિક પ્રતિક્રમણમાં ૧૦૮ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ, રાત્રિકમાં ૫૪ શ્વાસોચ્છવાસ પ્રમાણ, પાક્ષિકમાં ૩૦૦, ચાતુર્માસિકમાં ૪૦૦ અને સાંવત્સરિકમાં ૫૦૦ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ નવકાર મંત્રનો કાઉસગ્ગ હોય છે. ગચ્છ અને ફિરકાના ભેદે લોગ્ડમ્સ કે નવકારની સંખ્યામાં કેટલાક ફેરફારો થયેલા છે. પ્રતિક્રમણ એ જૈનોની ધાર્મિક ક્રિયા છે. પર્યુષણ પર્વ આવે એટલે પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓની સંખ્યા વધે. સંવત્સરીને દિવસે સાંજે જૈન લોકો પોતપોતાના સમુદાયમાં એકત્ર થઈ પ્રતિક્રમણ કરી પરસ્પર ક્ષમાયાચના કરે છે, પોતાનાથી જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે સંઘની સાક્ષીએ ક્ષમા માગે છે અને બીજાના જે કંઈ દોષ પોતાના પ્રતિ થયા હોય તેના માટે ક્ષમા આપે છે. લાખો જૈન લોકોની લગભગ એક જ સમયે થતી આ શુદ્ધિકરણની ક્રિયામાં જબરું બળ રહેલું છે. કેટલાય લોકો બધીય ક્રિયાનો અર્થ ન જાણતાં હોવા છતાં માત્ર દેખાદેખીથી, લજ્જા કે સંકોચથી અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy