SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાણું સાંભળવા આવ્યો છે. પૂર્વના એક ભવમાં તે રાજકુમાર હતો. તેણે દીક્ષા લીધી હતી. આરંભમાં તેને સાધુજીવન સારું લાગ્યું, પરંતુ રાજવૈભવમાં ઊછરેલા એવા તેને પછીથી તે ઘણું કઠોર અને કષ્ટપૂર્ણ લાગવા માંડ્યું. તેનાથી ઉગ્ર વિહાર અને તપશ્ચર્યા થતાં નહોતાં. એક દિવસ તે વિહાર કરતો હતો ત્યારે રસ્તામાં એક ખેતરમાં આમતેમ આનંદપૂર્વક દોડાદોડી કરતા ઉંદરોને જોઈને તેના મનમાં ભાવ થાય છે કે “મારા કરતાં આ ઉંદરો કેટલા બધા સુખી છે ! એમને વિહારનું કોઈ કષ્ટ નથી કે ગોચરીની કોઈ ચિંતા નથી.” આટલો વિચાર આવતાં જ તે યુવાન સાધુથી નિયાણુ બંધાઈ જાય છે. એ સાધુનો જીવ હવે ઉંદર બન્યો છે; પરંતુ ઉંદરના ભવમાં તેને હવે જાતિસ્મરણજ્ઞાન થયું છે અને પોતાના નિયાણા માટે પશ્ચાત્તાપ થાય છે. આવી રીતે કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન બીજા કેટલાક જીવોને ભોગપભોગ ભોગવતા જોઈને પોતાના કરતાં તેઓ કેટલા બધા સુખી છે તેવો તીવ્ર ભાવ જન્મે તો તે દ્વારા જાણતાં-અજાણતાં નિયાણુ બંધાઈ જાય છે. કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન પોતાને બીજાના તરફથી કષ્ટ પડે અથવા તપશ્ચર્યામાં વિપ્ન કે વિક્ષેપ પડે તો તેવે વખતે ક્રોધ જન્મ અને તે ક્રોધના આવેગમાં અશુભ નિયાણું બંધાઈ જાય છે. પોતાને સતાવનાર કે પોતાના તપમાં જાણતાં કે અજાણતાં વિક્ષેપ નાખનાર માનવ, વ્યક્તિ કે પશુપક્ષી વગેરે તિર્યંચને મારવાનો કે મારી નાખવાનો ભાવ જન્મે છે અથવા કોઈક વખત એનું અહિત થાઓ એવો ભાવ પણ પેદા થાય છે. આ પ્રકારનું નિયાણુ તે અશુભ અથવા અપ્રશસ્ત નિયાણું કહેવાય છે. હરિભદ્રસૂરિએ રચેલી સમરાદિત્ય કેવલી'ની કથામાં પુરોહિતપુત્ર અગ્નિશર્મા અને રાજકુમાર ગુણસેન વચ્ચે આ પ્રકારની ઘટના બને છે. પોતાના બેડોળપણાની અવહેલના રાજકુમાર કરે છે તે અગ્નિશમ સહન કરી લે છે. જીવનથી કંટાળેલો અગ્નિશર્મા દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી માસખમણ કરે છે. તેની ખબર પડતાં પારણું કરાવવા માટે રાજા ગુણસેન નિમંત્રણ આપે છે. પારણું કરવાનું નિમંત્રણ આપ્યા પછી રાજા ગુણસેન દ્વારા અજાણતાં સાધુ અગ્નિશર્માની જે અવહેલના થાય છે તેને પરિણામે ગુણસેનને ભવોભવ મારી નાખવાનું નિયાણુ સાધુ અગ્નિશર્મા બાંધે છે. આવું નિયાણુ બાંધવાને પરિણામે અગ્નિશમની પછીના ભાવોમાં ઉત્તરોત્તર દુર્ગતિ થાય છે, જ્યારે ગુણસેનનો જીવ ઉત્તરોત્તર ચડિયાતી ગતિ પામી નવમા સમરાદિત્યના ભવમાં કેવળજ્ઞાન પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy