SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જિનતત્ત્વ ગુણને મોહનીય કર્મ પ્રગટ થવા દેતો નથી. અક્ષય સ્થિતિરૂપી ગુણ આયુષ્યકર્મને લીધે પ્રગટ થતો નથી. આત્માનો અરૂપી ગુણ નામકર્મને લીધે પ્રગટ થતો નથી. આત્માના અગુરુ-લ ગુણને ગોત્રકર્મ આવરે છે. અનંતવીર્ય નામનો આત્માનો ગુણ અંતરાયકર્મથી દબાયેલો રહે છે. આત્મામાં અનંત શક્તિ હોવા છતાં આ આઠેય કર્મ ભેગાં મળીને આત્માને અશક્ત, પરાધીન, ગુલામ જેવો વિવશ બનાવી દે છે. કર્મના પ્રકાર, કર્મબંધનાં કારણો, ઉદીરણા અને ઉદયનું સ્વરૂપ, કર્મક્ષયથી પ્રગટ થતી આત્માની વિશુદ્ધિ ઇત્યાદિનું જેમ જેમ ચિંતન થતું જાય તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય. આમ કર્મવિપાકની એકાગ્ર ચિત્તથી ચિંતન કરનાર આરાધકનો આત્મા ઉત્તરોત્તર વધુ નિર્મળ થતો જાય છે. સંસ્થાનવિચય ધર્મધ્યાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતક'માં લખે છે : जिणदेसियाइ लक्खण संठाणासणविहाणमाणाइं । उप्पाय ठिइ भंगाइ पज्जवा जेय दव्वाणं ।। पंचत्थिकाय मइयं लोगमणाइनिहणं जिणक्खायं । णामाइ भेय विहियं तिविहमहो लोयभेयाइं । । खिइवलय दीवसागर नरय विमाण भवणाइ संठाणं । दोसाइ पइट्ठाणं निययं लोगट्ठिइ विहाणं ।। उवओग लक्खणमणाइणिहणमत्थंतरं सरीराओ । जीवमरूविं कारिं भोयं च सयस्स कम्मस्स ।। [ચોથા સંસ્થાનવિચય ધર્મધ્યાનમાં જિનેશ્વર ભગવાને કહેલ દ્રવ્યોનાં લક્ષણ, સંસ્થાન, આધાર, પ્રકાર, પ્રમાણ અને ઉત્પાદ-વ્યય સ્થિતિ વગેરે પર્યાયોનું ચિંતન કરવું. વળી જિનેશ્વર ભગવાને કહેલા અનાદિ અનંત એવા પંચાસ્તિકાયમય લોકનું નામાદિ ભેદથી આઠ પ્રકારે તથા ઊર્ધ્વ, અધઃ, તિńલોક એમ ત્રણ પ્રકારે ચિંતન કરવું તથા પૃથ્વી, વલયો, દ્વીપ, સાગર, નરક, વિમાન, ભવન, આકાશ, વાયુ વગેરેથી યુક્ત એવી શાશ્વત લોકવ્યવસ્થાનું ચિંતન કરવું. વળી આત્મા ઉપયોગ લક્ષણવાળો છે. અનાદિ અનંત છે, શરીરથી ભિન્ન છે, અરૂપી છે તથા પોતના કર્મનો કર્તા છે અને ભક્તા પણ છે એમ ચિંતવવું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy