SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન ૨૦૫ અથવા સાચું ઉદાહરણ ન મળવાથી જિનેશ્વર ભગવાનની વાણી સમજાતી નથી કે સમજવાની રુચિ થતી નથી.] જેઓ નિ:સ્વાર્થ છે, નિ:સ્પૃહ છે, પરહિતચિંતક છે, લોકકલ્યાણની ભાવનાવાળા છે, શુદ્ધ છે, કપટરહિત છે, સમતાધારક છે એવા મહાત્માઓનાં પ્રિય વચનો કેટલાક માણસો આજ્ઞાની જેમ ઉઠાવવા તત્પર બને છે. કોઈ સંતમહાત્મા પાણી માગે તો તેમને પાણી આપવા દસ જણા દોડાદોડી કરે, અને જેને પાણી આપવાનો લહાવો મળે તે પોતાની જાતને ધન્યભાગ્ય માને. સંતના વચનોને તેઓ આજ્ઞાની જેમ ધારણ કરે છે. એવી રીતે તીર્થંકર પરમાત્માએ અર્થાત્ જિનેશ્વર ભગવાને કહેલાં વચનો અનેક જીવો આજ્ઞાની જેમ જીવનમાં ઉતારે છે. એમાં તાબેદારી નથી, અનિચ્છા નથી, કષ્ટ નથી અને હોય તોય તે ઇષ્ટ અને પ્રિય છે, સ્વહિતકર છે. એથી જીવનમાં કૃતાર્થતા, ધન્યતા અને ઉલ્લાસ અનુભવાય છે. અજિતશાંતિ સ્તોત્રમાં કહ્યું છે : જો ઇચ્છહ પરમામય અહવા કિર્તિ સુવિFર્ડ ભુવણે તા તેલકદ્ધરણે જિણવયણે આયર કણહ. જિો તમે પરમપદ એટલે મોક્ષની ઇચ્છા કરતા હો અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામે એવી કિર્તિને ઇચ્છતા હો તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનેશ્વર ભગવાનનાં વચનોનો આદર કરો] અપાયરિચય ધર્મધ્યાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતકમાં લખે છે : रागदोसकसाया - सवादिकिरियासुवट्टमाणाणं-। इहपरलोयावाए झाइज्जा वज्जपरिवज्जो।। રિાગ, દ્વેષ, કષાય, આસવ આદિ ક્રિયામાં વર્તતા જીવને લોકમાં અને પરલોકમાં કેવાં દુ:ખો પડે છે તેનું ચિંતન કરવું]. અપાય એટલે કષ્ટ અથવા પીડા. જીવને વિવિધ કારણોને લીધે જે દુ:ખ અનુભવવું પડે છે તેનો વિચાર કરતાં કરતાં ધર્મધ્યાન ધરનારે પોતાના શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય, અવિનાશી, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય એવા આત્મસ્વરૂપનું વારંવાર ચિતવન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy