SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જિનતત્ત્વ લબ્ધિ' શબ્દ વપરાયો છે, અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમ માટે પણ “લબ્ધિ' શબ્દ વપરાયો છે. લબ્ધિની શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યા આપી છે : लभ्भनं लब्धिः। का पुनरसौ। ज्ञानावरणकर्मक्षयोपशमविशेषः । (લબ્ધિ એટલે પ્રાપ્ત થયું. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતા શક્તિવિશેષને લબ્ધિ કહેવામાં આવે છે.) इन्द्रियनिर्वृत्तिहेतुः क्षयोपशमविशेषे लब्धिः। यत्संनिधानादात्मा द्रव्येन्द्रिरयनिवृत्तिं प्रति व्याप्रियते स ज्ञानावरण क्षयोपशम विशेषो विज्ञायते। (ઇન્દ્રિયની નિવૃત્તિના કારણભૂત એવો વિશિષ્ટ ક્ષયોપશમ તે લબ્ધિ. જેના સંનિધાનથી આત્મા દ્રવ્યન્દ્રિયોના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે એવા જ્ઞાનાવરણના ક્ષયોપશમનો વિશેષ તેને લબ્ધિ કહેવામાં આવે છે.) मतिज्ञानावरणक्षयोपशमोत्था विशुद्धजीवस्यार्थग्रहणशक्तिलक्षणलब्धिः । (મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિથી જીવમાં પદાર્થોને ગ્રહણ કરવાની જે વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે તે લબ્ધિ.) तपोविशषात्ऋद्धिप्राप्तिर्लब्धिः। (તપવિશેષથી પ્રાપ્ત થતી ઋદ્ધિ તે લબ્ધિ.) सम्मदसण - णाण - चरणेसु जीवस्स समागमो लद्धिणाम। (લબ્ધિ એટલે સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર સાથે જીવનો સમાગમ.) विकरणा अणिमादयो मुक्तिपर्यन्ता इषुवस्तूपलम्भा लब्ध्यः। (મુક્તિ સુધીની ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ કરાવી આપનાર અણિમાદિ વિક્રિયાઓ તે લબ્ધિ.) गुणप्रत्ययो हि सामर्थ्यविशेषो लब्धिरिति प्रसिद्धिः। (ગુણોનો સામર્થ્યવિશેષ લબ્ધિ તરીકે ઓળખાય છે.) आत्मनः शुभभावावरण क्षयोपशये लब्धिः। (આત્માના શુભ ભાવ ઉપરના આવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય તે લબ્ધિ .) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy