SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષહ ૧૩૧ (૯) ચર્યા (ચરિયા) પરીષહ : - સાધુ ભગવંતોએ એક ગામથી બીજે ગામ વિચરતાં રહેવું જોઈએ. આવી રીતે વિહાર કરવામાં શારીરિક થાક લાગે છે કે કષ્ટો પડે છે, પરંતુ તે સમભાવપૂર્વક સહન કરી લેવા જોઈએ, કારણ કે સાધુ મહાત્માઓએ કોઈ પણ એક જ સ્થળે લાંબો સમય નિવાસ કરવો ન જોઈએ. તેમ કરવાથી તે સ્થળ અને ત્યાંની વ્યક્તિઓ પ્રત્યે રાગદ્વેષ થવાનાં ઘણાં નિમિત્તો ઊભાં થાય છે. એટલા માટે જિનેશ્વર ભગવાને સાધુઓને એક ગામથી બીજે ગામ વિહારની આજ્ઞા કરેલી છે. ચાતુર્માસમાં કોઈ પણ એક સ્થળે ચાર મહિના માટે સ્થિર વાસ કરી શકાય, જેથી એ સ્થળને ધર્મબોધનો વિશેષ લાભ મળે. બાકીના સમયમાં, શેષકાળમાં કોઈ પણ એક સ્થળે, ખાસ મહત્ત્વનું કે વિશિષ્ટ પ્રયોજન ન હોય તો, એક મહિનાથી વધુ સમય વાસ ન કરી શકાય, એટલે કે શૈષકાળના આઠ મહિનામાં ઓછામાં ઓછા આઠ વિહાર તો થવા જ જોઈએ. ચાતુર્માસનો એક વિહાર અને આઠ મહિનાના આઠ વિહાર એમ વર્ષ દરમિયાન ઓછામાં ઓછો કુલ નવકલ્પી વિહાર સાધુ ભગવંતોએ અવશ્ય કરવો જોઈએ. વૃદ્ધ, રોગી અને તપસ્વી સાધુ ભગવંતો માટે તથા એમની વૈયાવચ્ચ કરનાર મુનિઓ માટે અપવાદ રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે વિદ્યાભ્યાસ માટે ગુરુ ભગવંત કે સંઘની આજ્ઞા સહિત મુનિને માટે એક સ્થળે વધુ સમય વાસ કરવાનો અપવાદ પણ રાખવામાં આવ્યો છે. (૧૦) રેધિકી (નિસીરિયા) પરીષદ: સાધુ મહારાજોને વિહારમાં ચાલતાં ચાલતાં રસ્તામાં વિશ્રામ કરવો પડે અથવા ક્યાંક કાયોત્સર્ગ, પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયા કરવી પડે તે વખતે જે જે સ્થળ મળે તે સમભાવથી સ્વીકારી લેવું જોઈએ. સ્મશાનભૂમિ હોય, જંગલ, ખંડિયેર કે એવી બીજી કોઈ જગ્યા હોય તો તેવા સ્થળ માટે મનમાં ગમાઅણગમાના કે રાગદ્વેષના ભાવ ન ઊઠવા દેવા તેનું નૈષધિથી પરીષહ છે. (૧૧) શધ્યા (સેન્જા) પરીષહ : વિહારમાં કે ચાતુર્માસ દરમિયાન પોતાને બેસવા કે સૂવા માટે મળેલી જગ્યા ઊંચી-નીચી હોય, બહુ તડકો, ટાઢ કે પવનવાળી જગ્યા હોય તોપણ તે માટે મનમાં જરા પણ ઉગ ન આણવો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રસન્ન ચિત્તથી તેનો સ્વીકાર કરી લેવો તે શય્યા પરીષહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy