SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત ઉપાસક રમણભાઈ ૧ ૩ ૧ નોંધ ટપકાવતા જાય. તીવ્ર યાદશક્તિને કારણે એ વર્ષો પછી પણ એ ટાંચણને આધારે પ્રવાસકથા લખી શકતા. “પાસપોર્ટની પાંખે'ના ત્રણ ભાગ તથા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઉત્તરધ્રુવની શોધ સફરના એમના પ્રવાસગ્રંથો ગુજરાતી પ્રવાસસાહિત્યની અનુપમ સમૃદ્ધિ છે. નિશાળના અભ્યાસકાળ દરમિયાન આઠમા ધોરણના વર્ગશિક્ષક ઇન્દ્રજિત મોગલ પાસેથી ચાર વિશિષ્ટ સંસ્કાર મળ્યા. એમની પાસેથી પહેલાં સંસ્કાર સારા અક્ષર કાઢવાના મળ્યા. બીજી બાબત એ હતી કે ઇન્દ્રજિત મોગલ સ્વચ્છતા પર ખૂબ ભાર આપતા હતા અને કપડાં, બૂટ, નખ વગેરે ડાઘ વગરનાં, એકદમ ચોખ્ખાં હોવાં જોઈએ તેવો આગ્રહ રાખતા. ખિસ્સામાં રૂમાલ અને પેન્સિલ તો હોવાં જ જોઈએ. એમનો સારી ટેવો માટેનો આગ્રહ વર્ગના બીજા વિદ્યાર્થીઓ જેમ વિદ્યાર્થી રમણભાઈને અસર કરી ગયો. એ જ રીતે ઇંદ્રજિત મોગલની ભાષા અને શબ્દો માટેની ચોકસાઈ પણ રમણભાઈને સ્પર્શી ગયાં. જે કાંઈ લખીએ કે વાંચીએ એમાં પૂરેપૂરી ચોકસાઈ હોવી જોઈએ. નિશાળના અભ્યાસકાળ દરમ્યાન રમણભાઈને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ઘણા સારા ગુણ આવતા હતા. તેમ છતાં એમની ઇચ્છા ચિત્રકાર થવાની હતી. સ્કૂલ આર્ટિસ્ટ થવું એ એમનું સ્વપ્ન હતું, આથી ચિત્રકલા માટેના ખાસ વર્ગોમાં જઈને વિશેષ નિપૂણાતા માટે પ્રયાસ કરતા હતા. પરંતુ દસમા ધોરણ પછી અભ્યાસક્રમમાં ચિત્રકલાનો વિષય નહોતો તેમ જ એમાં પ્રોત્સાહન આપનાર શિક્ષક રાહલકર પણ અવસાન પામ્યા. આથી આ ક્ષેત્રમાં એમને પ્રેરણા કે માર્ગદર્શન આપનાર કોઈ રહ્યું નહીં, વળી એ સમયે મેટ્રિકના વર્ગમાં અભ્યાસ કરતા રમણભાઈએ વગડાનું કુલ' એ વિશે સુંદર નિબંધ લખ્યો હતો, તે વાંચીને અમીદાસ કાણકિયાએ નિબંધ નીચે નોંધ લખી કે, “જો તમે સાહિત્યમાં રસ લેશો તો સારા લેખક બની શકશો.” આ નાનકડી નોંધે રમણભાઈના અભ્યાસમાં દિશાપરિવર્તન આણ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખામાં જવાને બદલે વિનયન વિદ્યાશાખામાં અભ્યાસાર્થે જોડાયા. એ સમયે મુંબઇમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશન સમયે સ્વયંસેવક તરીકે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, “સરહદના ગાંધી' ખાન અબ્દુલ ગફારખાન અને શ્રી રાજેન્દ્રબાબુની નજીક મંચ પર સ્વયંસેવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy